________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-ર
આ ઉદેશામાં નીચે પ્રમાણેની વક્તવ્યતા છે. જેને ઉન્માદ, ઈન્દ્ર શું વર્ષાદ કરે છે? ઇન્દ્ર વૃષ્ટિ કેવી રીતે કરતે હશે ? અસુરકુમારે વૃષ્ટિ કરે છે? ઈશાનાદિ ઈન્દ્રો શું તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રશ્નો છે અને તેના ઉત્તરો છે.
ઉન્માદ માટેની વક્તવ્યતા ?
ઉન્માદ એટલે? વ્યુત્પત્તિના અનુસારે “ઉન્માદનમિતિ–ઉન્માદઃ અથવા “ઉન્માદ્યતે ઉન્માદ:”જેનાથી જીવાભાને ઉન્માદ ચડે તે ઉન્માદ છે. સાધારણતયા ભાંગ–શરાબપાન કે અફીણ આદિને ન ચડ્યા પછી માણસની જ્ઞાનવ્રન્થિઓ કમજોર થઈ જાય છે અને સંભવ છે કે વધારે પડતી નબળી જ્ઞાનગ્રન્થીઓને લઈને માણસને હીસ્ટીરીયા, ફીટ કે બીજા પણ મસ્તિષ્કના રોગે પણ ઊભા થઈ શકે છે.
આ જ પ્રમાણે આત્માને ન ચઢાવનાર “ઉન્માદ” છે. જેનાથી આત્મા પોતાની બધી શક્તિઓ સાથે કે ટેલ આઉટ થતાં માનવનું અધઃપતન નિશ્ચિત બને છે.
ભગવતીસૂત્રના આ ઉદેશામાં ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! ઉન્માદ એટલે શું? અને તેના ભેદો કેટલા છે?”
જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે, હે ગૌતમ! ઉન્માદ બે પ્રકારે છે –(૧) યક્ષાવેશ ઉન્માદ (૨) મેહકર્મના ઉદયથી ઉત્પન્ન થતે ઉન્માદ.”