SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બાંધ્યું છે તે ત્રાજગતિથી એક સમયમાં જ નરકભૂમિમાં જવાની ક્ષમતા રાખે છે અને વિગ્રહગતિ(વક્ર ગતિ)થી બે અથવા ત્રણ સમયમાં નરકભૂમિમાં જશે. યદ્યપિ માણસના બાહ પ્રસારણમા શીવ્ર ગતિ જરૂર દેખાય છે તે પણ તે ગતિમા અસ ખાત સમય હોય છે માટે નરકગતિની શીવ્રતાને પુરુષની તે ગતિમાં સમાનતા હોઈ શકે તેમ નથી. તે પ્રમાણે અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિકો આદિ-એકેન્દ્રિયની, વિકલેન્દ્રિયની, મનુષ્ય તથા પશુઓની વાનવ્ય તર, તિષ્ક તથા વૈમાનિક ગતિ પણ એક, બે કે ત્રણ સમયની હોય છે. તેમાં સ્થાવર માટે ચાર સમય સુધીની મર્યાદા છે. સારાંશ કે એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે સમશ્રણમાં જુગતિથી એક સમયમાં અને વિ–શ્રેણીમાં વિગ્રહ-ગતિથી બે કે ત્રણ સમયમાં ઉત્પત્તિસ્થાને જીવ માત્રને ગયા વિના છુટકારે નથી; માટે ખરી રીતે આને જ શીધ્રગતિ કહેવાય છે. બાહ પ્રસારણમાં આપણે ચર્મચક્ષુ ભલે શીવ્રતાની કલ્પના કરી લે તે ય તેમાં અસ ખ્યાત સમયે સમાયેલા છે. બે સમયમાં એક વિગ્રહગતિ, ત્રણ સમયમાં બે અને ચાર સમયમાં ત્રણ વિગ્રહ સમજવાના છે એ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે –કેઈ જીવ જ્યારે ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાનો હોય છે, ત્યારે પ્રથમમા તે નીચે આવે છે અને બીજા સમયમાં તિર છે ઉત્પત્તિસ્થાને જાય છે. આ બે સમયની એક વિગ્રહગતિ માટે જાણવું. ત્રણ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે જ્યારે જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકના વાયવ્ય કોણમાં ઉત્પન્ન થવાને હોય છે ત્યારે પ્રથમ સમયે સમ શ્રેણીથી નીચે આવે ચમાં ત્રણ -કઈ છે?
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy