________________
- શતક ૧૩ મું ઉદ્દેશક-૮
२२६ કિયાને જોવાની મુલ ઈચ્છાવાળા નથી. પરંતુ મિત્રોની શરમથી જોતા હોય છે. આમ સૌની ભાવના વિચિત્ર અને જુદી જુદી હોવાથી એક જ ક્રિયા દ્વારા બંધાયેલાં કર્મોમાં રસનું તારતમ્ય પણ ઉતરે તેમાં નવાઈ જેવું નથી. રેલગાડી મેટર કે વિમાનના એકસીડંટમાં સેંકડે માણસો મરે છે. તેમાં કેટલાક સમાતીત રીબાઈ રીબાઈને મરે છે, જ્યારે કેટલાક હાથપગથી વિયુક્ત થઈ જીવતાં જીવનમાં રીબાઈ રહ્યા હોય છે. ત્યારે કેટલાકને કઈ પણ હાનિ થતી નથી અને આબાદ બચી જાય છે. એમા રસબંધની વિચિત્રતા સિવાય બીજું કંઈ પણ કારણ નથી
પ્રદેશમાં ધ, કર્માણુઓના પ્રદેશને સમૂહ હોય છે. ક્રિયામાત્રમાં પ્રતિબધ અને પ્રદેશબંધ અનિવાર્ય છે જ્યારે રસ અને સ્થિતિમાં કષાયભાવની તરતમતા રહી છે.
રસઘાત, સ્થિતિઘાત અને ગુણસંક્રમણ :
ભવભ્રમણ કરતાં જીવને જ્યારે મોક્ષગમનની લાયકાત પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ (આત્માની અજબ ગજબની શક્તિ)ની પ્રાપ્તિ થતા જ દીર્ઘ સ્થિતિમાં અને તીવ્ર રસનાં કર્મો પણ ટૂંકી સ્થિતિવાળાં અને ઓછા રસવાળાં થઈ જાય છે. કર્મસત્તા પાસે જેમ અનંત શક્તિ છે તેમ જીવ પણ અન તશક્તિને સ્વામી છે. અનાદિ કાળથી બંને રણમેદાને ચડ્યાં છે અને અત્યાર સુધી કમ રાજાએ જીવ ઉપર વિજય મેળવ્યા છે, પરંતુ ભવભ્રમણમાં કેઈક જ સમયે જીવાત્માને જ્યારે પિતાનું ભાન થાય છે ત્યારે પિતાની અભૂતપૂર્વ શક્તિ વડે કર્મરાજાને પરાસ્ત કરવા માટે સમર્થ બને છે. તે સમયે લાંબા સમયનાં કર્મને કચ્ચર