SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મરગુ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહેવાય છે. પાદપોગમ મરણના બે પ્રકાર છે. નિહરિમ એટલે મરણ પામેલા સાધકને ઘરથી બહાર લાવીને સંસ્કારિત કરાય છે, જ્યારે અનિહરિમમાં પર્વતની ગુફામાં, જંગલમાં કે એકાન્ત સ્થાનમાં પાદપિગમથી મરણ પામેલા સંસ્કાર કરવામાં આવતું નથી. આ રીતે બને પ્રકારના પાદપેગમ મરણમાં સાધકને ચારે પ્રકારને આહાર ત્યાજ્ય હોય છે. શરીરને સંસ્કાર–સેવા–શુશ્રષાઆદિથી રહિત હોય છે. તેમ પોતાના શરીરની સેવા પિતે કરતે નથી અને બીજા પાસે કરાવતો નથી. જ્યારે ભક્ત પ્રત્યાખ્યાન મરણ પણ નિહરિમ અને અનિહરિમરૂપે બે પ્રકારનું છે, છતાં બંને સપ્રતિકર્મ એટલે કે મરણાન્તરે સંસ્કાપ્તિ થાય છે. ઉપર્યુક્ત બંને પ્રકારનાં પંડિત મરણે પિતાની શક્તિ અને પરિસ્થિતિને ખ્યાલ કરીને અવશ્યમેવ સ્વીકાર્ય છે. આમાં બે મત કેઈને પણ હોઈ શકે નહિ પરંતુ ધ્યાન માં રાખવાનું કે વાષભનારા સંઘયણના માલિકના આત્મિક કે શારીરિક બળની તુલનામાં છેલ્લા સંઘયણના માલિકનું બળ સર્વથા નગણ્ય હોય છે. કદાચ શરીરબળ સાધારણ રૂપે સારું હોય તે જ્ઞાનબળની કેડી કે વધુ ખામી હોય છે. અથવા અપેક્ષાકૃત જ્ઞાન કે આત્મબળ સારું હોય તે શરીર બળ તેવું હોતું નથી અને આત્મિક કે માનસિક બળને શરીરબળની અપેક્ષા રાખ્યા વિના ચાલવાનું જ નથી. તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમમા રહેતા શ્રાવક કે શ્રાવિકા ચાહે ગમે તેટલા પિતાના બળની વાતે કરે તો પણ તેઓ છઠ્ઠા ગુણસ્થાનકના માલિકે કેઈ કાળે હાઈ શકતા નથી. કેમકે મહાવતે ધાર્યા વિના છઠ્ઠ ગુણસ્થાનક
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy