SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ શતક ૧૩ મું ઉદ્દેશક દ્રવ્યાવચિક મરણ પણ નરયિક દ્રવ્યાપીચિક મરણ, તિર્યંચ દ્રવ્યાવાચિક મરણ, મનુષ્ય દ્રવ્યાવચિક મરણ અને દેવ દ્રવ્યાવિચિક મરણરૂપે ચાર પ્રકારનું છે. નરકગતિમાં રહેલા નારકે જે રૂપે આયુષ્યકર્મ બાંધ્યું હોય, (જેમકે મજબુત, વધારે રસવાળું, વધારે સ્થિતિવાળું બાંધ્યું હોય) તે કર્મ નરકભૂમિમાં જવાના સમયથી પ્રતિ સમયે ગવાતું રહે છે અને ભગવાન ચેલ કર્મ આત્મપ્રદેશથી છૂટું પડે છે, એ જ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવે માટે પણ સમજવું. ક્ષેત્રાવાચિક મરણ પણ ઉપર પ્રમાણે પાંચ ભેદે અને પ્રત્યેકના ચાર ચાર ભેદે જાણવું. કેમકે નરકગતિના ક્ષેત્રમાં ભોગવવા ગ્ય આયુષ્યદલિકે નરકક્ષેત્રમાં ભેગવવાના હોય છે અને કાળાવાચિક મરણ પણ નરક ગતિમા ગયા પછીના કાળમાં આયુષ્યદલિકે ભેગવવાના હોય છે. આ પ્રમાણે અવધિ, આત્યન્તિક સમજવું. બાળ મરણના પ્રસંગે પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. પંડિત મરણ–૧. પાદપોગમ મરણ ૨, ભક્ત પ્રત્યાખ્યાન રૂપે બે પ્રકારે છે. પાદપોગમ એટલે સમ્યક્ષશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિપૂર્વક વિષય કષાયોને અત્યંત પાતળા કરવા માટે, ફરીથી સંસાર વૃદ્ધિ ન થાય તે માટે, મરણાંતિક સંલેખનાપૂર્વક પિતાના શરીરને ઝાડની જેમ સર્વથા નિશ્ચલ બનાવે છે. મન, વચન તથા કાયાના હલન ચલનને જ્ઞાનશક્તિપૂર્વક અવરોધી લે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામતે સાધક- પાદપિગમ મરણનો અધિકારી બને છે. જ્યારે પોતાના અદમ્ય પુરૂષાર્થ વડે આત્માની શક્તિઓને વિકાસ સાધતે સાધક ચારે પ્રકારના આહારને અને આહારજન્ય વિષય કષાને ત્યાગ કરીને
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy