SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩ (૫) પંડિત મરણ– જીવનની રામલીલા રમવા છતાં, વૈરી અને વિરોધીઓની વચ્ચે રહેવા છતાં, હજારો લાખે ની માયા ભેગી કરવા છતાં પણ પિતાનું આંતજીવન નિર્લેપ, અનાસક્ત, અને સભ્યત્વવાસિત રાખનારને મૃત્યુ સમયે સંસારની એક પણ માયા યાદ આવવાની નથી. કદાચ તે સમયે શારીરિક અસહ્ય વેદના ભેગવતે હશે તે પણ શરીર અને આત્મા જુદા છે એમ સમજીને વેદનાઓ પ્રત્યે લક્ષ્ય રાખ્યા વિના આત્માને પરમાભાના ધ્યાનમાં મસ્ત બનાવશે. અને પોતે પોતાની મેળે જ સંસારની રમત રમતાં પૃથ્વીકાયિક જીથી લઈને યાવત્ દેવલોક સુધીના જીવની ત્રિવિધે થયેલી આશાતનાને પશ્ચાત્તાપ કરશે, મિથ્યાદુકૃત દેશે તેમજ પિતાથી લેવાયેલા અઢારે પાપસ્થાનકેની નિંદા ગહ કરશે તથા ભવાંતરમાં હું પાપને સંપૂર્ણ ત્યાગ કરીને દીક્ષા લઉં અને આ ભવની અધૂરી આરાધના આવતા ભવે પૂર્ણ કરનારે થાઉ, ભવભવ મને જૈનધર્મ, અરિહંતદેવ, તેમની મૂર્તિ મળે અને હું આરાધક બનવા પામું એવી ભાવનામાં મૃત્યુ પામતે મનુષ્ય પંડિત મરણનો માલિક બને છે. ઉપર્યુક્ત પચે પ્રકારના આયુષ્યના ભેદ ભેદાંતર સમજાવતાં ભગવંતે કહ્યું કે, “આવચિક મરણના પાચ ભેદ છે.” તે આ પ્રમાણે – ૧. દ્રવ્યાપીચિક મરણ ૪. ભવાવાચિક મરણ ૨. ક્ષેત્રાચિક મરણ પ. ભાવાવચિક મરણ. ૩. કાળાવાચિક મરણ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy