SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું ઉદ્દેશક–૭ ૨૧૭ અનુભવી રહ્યા છીએ, તેવું મરણ ભગવતીસૂત્ર કહે છે કે “બાળ મરણ” છે. એમાં મૃત્યુ પામતે ગૃહસ્થ કે સાધુ સદ્ગતિ પામી શકતું નથી. પાપી પેટને ખાતર એક બજારમાં પિતાના કરંડિયામાંથી જુદી જુદી આઈટેમ ( પ્રોગ્રામ) કાઢીને લેકજન કરીને બે પૈસા મેળવનારો મદારી કે હાથચાલાકીના ખેલ કરનાર મંત્રવાદી પણ આ બજારમાં ખેલે પૂરા કરીને બીજી બજારમાં જાય છે એ જ પ્રમાણે માનવશરીર મેળવેલે જીવાત્મા પણ આ ભાવ પૂરતી સ સારની માયામા કરજદાર બનીને આવ્યું હોય તે કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હોય તો લેણું વસુલ કરીને જીવનને અ ત આવ્યે સસારના બીજા બજારમાં જવાને માટે કર્મસત્તાને સૂત્રમાં બંધાયેલ છે. એવી સ્થિતિમાં માનવમાત્ર એટલું જ વિચારવાનું રાખે કે ગયા ભવમાં ઘણી રીતના દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવાદિ ધર્મ આરાધના કરીને મેળવેલા પુણ્યના જોરે આ ભવમા મનુષ્ય અવતાર પામ્યો છું, જ્યા ત્રાણાનુબંધની બેડીઓમાં ફસાયેલું હોવાથી કર્માનુસારે મારે ચેષ્ટાઓ કરવી પડે છે. આવી સ્થિતિમાં હું મોક્ષ ન મેળવુ કે કેવળજ્ઞાનના રસ્તે ન આવું તે પણ વાધે નથી, પરંતુ દુર્ગતિના દરવાજે જવા ન પામુ તેટલી કાળજી હું રાખું તે મને ક્યાંય વાધ આવી શકે તેમ નથી. માટે જીવતા જીવનમાં તેવા કાર્યો મારે કરવા ન જોઈએ જેનાથી મારું મૃત્યુ બગડવા પામે, મને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય, જેથી સંસારની માયામાં મારું મન અને જીવ અટવાઈ જાય. બસ ! આટલી જ વિચારણાને કેન્દ્રમાં રાખી પોતાનું જીવન ઘડવામાં આવે તે બાળ મરણથી તે ભાગ્યશાળી બચી જવા પામશે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy