________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૭
૨૧૩ ૩. આત્યન્તિક મરણ ૪. બાળ મરણ ૫. પંડિત મરણ
અગમનિગમનું જ્ઞાન પર્ષદાને સૂક્ષ્મ પ્રકારે થાય તે માટે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, “જેમ તળાવમાં કે સમુદ્રમાં પહેલું મોજું ઉત્પન્ન થાય છે અને પાછળથી ઉત્પન્ન થઈને આવનારા મજા સાથે મળીને પહેલું મેજુ નાશ પામે તેવી રીતે જે જીવાત્માએ આયુષ્યકર્મના જેટલા પ્રમાણમાં દલીકે બાંધ્યા હોય છે તે પિતાની સ્થિતિ પ્રમાણે પ્રતિ સમયે ઉદયમાં આવતા જાય છે અને બીજા સમયે ઉદયમાં આવનારા દલિકે સાથે પહેલાનાં દલિકે નાશ પામે છે, તે મૃત્યુનું નામ આવીચિક મરણ કહે છે. ઉદાહરણ રૂપે ગત ભવમાં મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધીને અને તે ભવ પૂર્ણ કરીને જે સમયે માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી મનુષ્યભવના આયુષ્યકમનું વદન ચાલુ થાય છે. નિષેક અવસ્થાની મર્યાદામાં પ્રવેશ પામેલા તે કર્મ દલિકે પ્રતિસમયે વેદાતા જાય છે અને નિર્જરાતા જઈને નાશ પામે છે પ્રત્યક્ષ દેખાતા સસારના સ્વરૂપનો નિર્ણય કોઈક સમયે વ્યવહાર પદ્ધતિએ કરાતે હોય છે, જ્યારે બીજા સમયે નિશ્ચય પદ્ધતિથી કરાતે હોય છે બંને દષ્ટિએ પિતપિતાનાં સ્થાનમાં પ્રધાન છે, તેમ છતા પણ નિશ્ચયદષ્ટિને અપલાપ કરીને કેવળ વ્યવહારદષ્ટિથી જ કરેલા નિર્ણયથી
જીવનમાં ઘણા પ્રકારે અજ્ઞાન રહેવા પામશે, જેનાથી વૈરવિધ-વિતંડાવાદ આદિ માટે નવા નવા કુતર્કો ભડકશે અને આધ્યાત્મિક જીવનની ક્રુર મશ્કરી કરશે. આ પ્રમાણે વ્યવહારદષ્ટિને અપલોપ કરીને કેવળ નિશ્ચયદષ્ટિથી સંસારની માયા હલ કરવા જતાં હૃદય અને મસ્તિષ્ક કેરાં ધાકેર જેવાં રહેશે