________________
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૭
-
'
૨૦૯
કાય( શરીર ) માટેની વક્તવ્યતા :
શરીરની વિદ્યમાનતા હોય ત્યારે જ મન હોય છે. તેથી શરીર સંબંધી પ્રશ્ન પૂછને શ્રી ગૌતમસ્વામી કહે છે કે,
હે પ્રભો ! શરીરથી આત્મા ભિન્ન છે ? અભિન્ન છે? એટલે કે આત્મા અને શરીર એક જ છે કે બંને જુદાં જુદાં છે ? યદિ બને એક જ હોય તે શરીરના નાશમાં જેમ હાથ, પગ, આંખ, કાન, નાક આદિ બળીને ભસ્મ થઈ જાય છે તેમ આત્માનો પણ નાશ થઈ જ જોઈએ પણ તેમ થતુ નથી. કદાચ થાય તે પરલોકના નાશમાં પરલેકમા જનારનો અભાવ હેવાથી પરલેક(સ્વર્ગ, નરક આદિ)ને પણ અભાવ થશે. પણ આવું કેઈ કાળે બનતું નથી, બન્યું નથી અને બનશે નહિ
શરીરને આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરથી કરાયેલાં કર્મો આત્મા સાથે સંબંધિત શી રીતે થશે ? જેમ રામજી અને શામજી બંને જુદા છે, માટે રામજી પાન ચાવે તે શામજીનું મેં લાલ થઈ શકતું નથી, તેવી રીતે ખાનપાન–મજ આદિ શરીરે કરેલાં હોવાથી તે દ્વારા બંધાયેલું પાપ આત્માને શી રીતે લાગશે?
જવાબમાં યથાર્થવાદી ભગવતે કહ્યું, “હે ગૌતમ! આત્મા શરીરરૂપ પણ છે અને તેનાથી ભિન્ન પણ છે. લોખંડને ગળ અને અગ્નિની જેમ બંનેમાં અભિન્નતાના કારણે જ શરીર દ્વારા કૃતકાર્યોનું સંવેદન આત્માને થાય છે, તેમ શરીરના માધ્યમથી કરાયેલાં કમેને લઈને આત્માને ભવાતરમાં પણ તેનું વેદના થાય છે અને તે પ્રમાણે જીવ માત્ર કર્મોને જોગવી રહ્યા છે, જે સૌને પ્રત્યક્ષ છે. યદિ આત્મા અને કાય(શરીર)ને સર્વથા ભિન્ન માનવામાં આવે તે કરાયેલાં