________________
શતક ૧૩ મું : ઉદેશક-૭
૨૦૩
સાંભળનારનાં કાનને અનુગ્રહ થાય છે, અને કડવી-કઠેરકર્કશ-હિંસક તથા અસત્ય ભાષાથી કન્દ્રિયનો ઊપઘાત પણ થાય છે માટે ભાષા શું રૂપી છે? અને ચક્ષરીન્દ્રિયથી ભાષા ગ્રહણ થતી નથી માટે ધર્માસ્તિકાયની જેમ તે અરૂપી છે ?”
જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ ! મારા શાસનમાં ભાષા રૂપી છે, પણ અરૂપી નથી. ધર્માસ્તિકાયની જેમ ચક્ષુથી અગ્રાહ્ય હોય તેટલા માત્રથી ભાષામાં અરૂપીત્વ સિદ્ધ થતું નથી. જેમ કે પરમાણુ, વાયુ કે પિશાચાદિ ચક્ષુગ્રાહ્ય નથી હોતા તે પણ તે રૂપી જ હેય છે. આ પ્રમાણે ચક્ષુથી અગ્રાહ્ય હોવા છતાં પણ "ભાષા રૂપી છે.
હે પ્રભો ! ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે?
સારાંશ કે, “ભાષા અનાત્મરૂપ હોવા છતાં પણ જીવના શરીરની જેમ સચિત્ત પણ હોઈ શકે છે અને જીવ દ્વારા નિસૃષ્ટ પુગલમય હોવાથી ભાષા અચિત્ત પણ હોઈ શકે છે?”
જવાબમાં કહેવાયું કે, “હે ગૌતમ! ભાષા સદેવ પૌદગલિક હોવાથી અને જીવ દ્વારા નિસૃષ્ટ હેવાના કારણે પણ અચિત્ત જ હોય છે.”
હે પ્રભે ભાષા શું જીવસ્વરૂપવાળી છે કે અજીવ સ્વરૂપવાળી છે?” - જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! ભાષા ઉછુવાસાદિ પ્રાણધારણવાળી નહિ હોવાથી તે અજીવરૂપ જ હોય છે. ભાષાને વ્યવહાર જીવને જ હોય છે, અ ને હોતે નથી, માટે પુરૂષ પ્રયત્ન વિનાની અપૌરુષેયી ભાષા કોઈ કાળે પણ હોતી નથી.”