SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેઓ ત્રિકાળવંદનાપૂર્વક દેવાધિદેવને નમસ્કાર કરે છે તે ભાગ્યશાળીઓ પણ ધન્યવાદને પાત્ર છે. જે ભૂમિ પર પરમાત્માનાં ચરણ પડે છે તે ભૂમિને પણ ધન્યવાદ અને તે ગૃહસ્થને પણ લાવાર ધન્યવાદ છે. જેમનાં ઘરનું ભજન, પાણું, વસ્ત્ર, અને ઔષધ અરિહતને અથવા તેમના મહાપવિત્ર સાધુ સાધ્વીએનાં પાત્રમાં પડતું હોય છે ? ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં પધારે અને મારી નગરીને પવિત્ર કરે, સમવસરણની રચના થાય અને તેમાં જનતા બેસે તથા હુ પણ ભગવંતના ચરણમા બેસીને ધર્મોપદેશ સાંભળું. આશ્રવ અને સંવરના ભેદે અને ભેદાનભેદોને બરાબર સમજી મારા જીવનમાંથી આશ્રનો ત્યાગ કરી સંવરધર્મની આચરણ કરું. આવા પુણ્યકર્મોના ઉદય મારા ભાગ્યમાં ક્યારે આવશે ? આવા વિચારો કરતાં ઉદાયન રાજાએ ધર્મ જાગરિકા કરી પ્રાતકાળે પૌષધ પારું, આ બાજુ ભગવાન મહાવીરસ્વામી પણ ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણમા બિરાજમાન થઈને પ્રભુએ ધર્મોપદેશ આપે. ઉદ્યાનરક્ષક માળીએ રાજાને વધામણાં આપ્યાં અને ખુશ થયેલા રાજાએ સ્નાન કર્યું તથા વેષભૂષા સજીને સમવસરણ તરફ રાજા આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને યથાયોગ્ય આસને બેઠા, ધર્મોપદેશ સાભળ્યો. વૈરાગ્યવાસિત રાજાએ દીક્ષાનો ભાવ કર્યો અને કહ્યું કે, “પ્રભે ! હું મારા પુત્રને રાજગાદી પર બેસાડીને આપશ્રી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું કે, “હે રાજન ! સારા ધર્મકાર્યોમાં વિલંબ કરશે
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy