________________
શતક ૧૩ મું : ઉદ્દેશક
૧૫ નગર હતું તેના ઈશાન કેણમાં મૃગવન નામનું ઉદ્યાન હતુ. નંદનવનની ઉપમાવાળા તે નગરમા તમામ ઋતુઓનાં પુષ્પો હંમેશાં વિકસિત રહેતાં હતાં. ત્યા ઉદાયન નામે રાજા રાજ કરતું હતું, જે બાધા અને ઉપદ્રવોથી રહિત હવે મહાહિમવાન પર્વતની જેમ નિર્ભય હતે. તે રાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી તેના હાથપગનાં તળિયા કોમળ અને ઈષત્ લાલ રંગના, શરીરની કાન્તિ સુવર્ણ સમાન, કમળ જેવી સુગ ધવાળી, નીલ અને કમળના પાદડા જેવી લાંબી આખેવાળી, લાંબા કાન અને અણિયાળા નાકવાળી, દાડમની કળી જેવા દાતવાળી, પૂર્ણિમાના ચદ્ર જેવા મુખવાળી, એવી તે પટ્ટરાણીના વૈભવ વિલાસને પાર નહિ છતા જૈન શાસનના રંગમાં રંગાયેલા હૈયાવાળી હતી. પુત્ર પરિવારથી પૂર્ણ હતી તે પણ જૈન શ્રમણુઓનો સહવાસ રાણુંને માટે અમૂલ્ય હતે પતિને પ્રેમ અતૂટ હતા તો પણ જૈન શાસનના પ્રેમમા અતૂટ અને અનન્ય શ્રદ્ધાવાળી હતી. આ રાજારાણીને અભિ જિત્ નામનો રાજકુંવર હતો. રાજનીતિમાં કુશળ હોવાથી તે કુમાર પ્રજાનો પ્રીતિપાત્ર હતે. ઉદાયન રાજાને કેશિકુમાર નામે ભાણેજ હતે.
સિંધુ સૌવીર આદિ ૧૧ દેશને, વીતભય આદિ ૩૬૩ નગરોને અને ૧૦ મુગટબદ્ધ રાજાઓની સેવાથી સેવિત તે ઉદાયન રાજા હતા. સાથોસાથ જવાજીવાદિ તને જાણકાર હતું અને જૈન શ્રમણોપાસક હતો.
જીવનમાં જ્યારે વિચારશક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે જ ભેગ સાથે ગની પ્રાપ્તિ સુલભ બને છે ગૃહસ્થાશ્રમથી સર્વથા પર થયેલાયેગીઓને, ગસાધનાની જેટલી આવશ્યક્તા