________________
૧૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
પૃથ્વીકાયિક, અપૂકાયિક, વાયુાયિક, વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેરૂ અને અમનોમ આદિ સ્પર્શીને અનુભવ કરનારા છે. શેષ નાર માટે પણ જાણવું. કેવળ બાદર તેજસ્કાયિક જીવે મનુષ્ય લેકમાં જ હોય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક જી સ્પશેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય હોય છે, માટે તેજસ્કાય જેવી બીજા પ્રકારની ઉષ્ણતા જે પરમાધામીઓથી ઉત્પાદિત હોય છે તેને સ્પર્શ સમજવો. પરિઘિ દ્વાર :
રત્નપ્રભાની પરિધિ (સ્થૂળતા) શર્કરા પ્રભા કરતાં વધારે છે અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં લંબાઈ અને પહોળાઈનાની છે. કેમકે રત્નપ્રભાનો આયામ વિષ્ઠભ (લંબાઈ અને પહોળાઈ) એક રજજ પ્રમાણે છે.
અને શર્કરપ્રભાનો આયામ વિશ્કેભ તેનાથી વધારે છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર જનની છે અને શર્કરપ્રભાની એક લાખ બત્રીસ હજાર એજનની છે, તેથી રતનપ્રભા કરતાં શર્કરાપ્રભા નાની છે પણ લંબાઈ પહોળાઈમા વધારે છે.
નિરયાત દ્વાર; - સાતે નરક ભૂમિઓમાં જે નરકાવાસે છે તેની આસપાસ જે અપકાયિક, તેજસૂકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તે પણ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાવેદનાવાળા છે. યદ્યપિ પિતપોતાનાં નામ કર્મને લઈને જીવે તે સ્થાનમાં જન્મ ધારણ કરે છે તેમ છતાં પણ તેમનાં પૂર્વભવીય કર્મે મહાભયંકર વૈરવાળાં હોય છે. ઈષ્ય,