________________
૧૭૧
શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ પરિવર્તિત થાય છે. બેશક, મિથ્યાત્વને લઈને સાતમી નરકમાં ગયેલા જીવાત્માઓને નિમિત્ત મળતાં પુનઃ સમ્યગ્દર્શનની સ ભાવના રહેલી છે, અને ત્યાર પછી તેમનું મિથ્યાજ્ઞાન ફરીથી સમ્યકજ્ઞાન થઈ જતું હોવાના કારણે ત્યાં પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની સત્તા સંભવી શકે છે.
હે ગતમ! રત્નપ્રભાના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાં મિશ્ર દષ્ટિવાળા જેને ઉત્પાદ અને ઉદ્વર્તન હેતા નથી પણ સત્તાની અપેક્ષાએ કદાચ વિદ્યમાનતા હાઈ શકે છે, અને નથી પણ હતી. હોય તે જઘન્યથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાન સમજવા.
લેયા પરત્વે નરક વક્તવ્યતા :
જીવ માત્રને મરતી વખતે જે વેશ્યાને ઉદય વર્તતે હોય તે પ્રમાણે સગતિ કે દુર્ગતિ પ્રાપ્ત થાય છે કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા દુર્ગતિદાયક છે, અને તેજ, પદ્મ તથા શકલ લેગ્યા સગતિ પ્રાપક છે. જેનું વર્ણન પ્રથમ ભાગમાં અપાઈ ગયું છે, તેમ છતાં સંક્ષેપમાં ફરી જાણી લઈએ.
૧. કાપત લેશ્યામાં મરનાર પહેલી નરકમાં જશે. ૨. તીવ્રતર કાપત લેફ્સામાં મરનારને માટે બીજી નરક છે
૩. કંઈક કાપત અને કંઈક નીલ લઠ્યાના માલિકને માટે ત્રીજી નરક.
૪. નીલ લશ્યાને માલિક ચેથી નરકને અતિથિ છે. - પ. કંઈક નીલ અને કંઈક કૃષ્ણ લેસ્થામાં મરતો માણસ પાંચમી નરકે જાય છે.