________________
ઉપર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
રીતે પીળા કાચના ચશ્માથી પણ સફેદ કપડાં પીળાં દેખાય છે આ બધી વાતોમાં રેગ અને ચમા કારણરૂપ છે, તેમ મિથ્યાત્વ અને અજ્ઞાન પણ આત્માને ભયકર રોગ છે જેની વિદ્યમાનતામાં પ્રત્યક્ષ દેખાતી સત્ય વસ્તુને પણ તે માનવા તૈયાર નથી. * હિસા–જૂઠ–મેથન આદિનાં પાપ અને તેનાં કડવાં ફળ દેખાઈ રહ્યાં છે તે પણ માનવના જીવનમાં રહેલાં મતિજ્ઞાન, કે શ્રુતજ્ઞાન–તેને માનવા તૈયાર નથી.
૧. માંસાહાર નિર્દયી માણસનું ભોજન છે. ૨. શરાબપાન નિર્વાસ પરિણામવાળાઓનું કૃત્ય છે. ૩. બકરા આદિ જનાવરોની હત્યા તે કૂર માનવનું
દુકૃત્ય છે.
૪ જુગાર, રમી આદિની રમત નવરા માણસોનું કામ છે.
ઈત્યાદિક પ્રત્યક્ષ દેખાતાં પાપોમાં ધર્મની ભાવના અથવા પાપને પાપ તરીકે નહિ માનવાની માનસિક દશામા અજ્ઞાન જ કામ કરી રહ્યું છે.
પ્રશ્ન-“હે પ્રભો ! નરક ગતિના જીવાત્માઓ શું જ્ઞાન સ્વરૂપ છે? અજ્ઞાન સ્વરૂપ છે? અથવા તેમનું જ્ઞાન તેમના આત્માથી ભિન્ન હોય છે? અભિન્ન હેય છે?”
જવાબ–ભગવતે ફરમાવ્યું કે, “ગૌતમ ! સમ્યગ દર્શનની અપેક્ષાએ નારકે જ્ઞાન સ્વરૂપ છે. મિથ્યાદર્શનના કારણે અજ્ઞાન છે સારાંશ કે નરક ગતિમાં રહેનારા જીવોને પણ સમ્યગુદર્શનની દુર્લભતા નથી. કારણ કે કર્મોને ઉદયકાળ પ્રાયઃ