SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦ ૧૪૩ - સકષાય મિથ્યાષ્ટિમાં જ્ઞાનનો અભાવ છે અને સમ્યક્દષ્ટિમાં સદ્ભાવ છે માટે જ્યાં કષાય છે ત્યાં જ્ઞાનની ભજના. પણ જે જ્ઞાની હોય છે ત્યાં કષાયમુક્તિ અને કષાય સહિતતા પણ હોય છે. કષાય અને દર્શનને સંબંધ પણ ઉપર પ્રમાણે જાણ. કષાયના સદભાવમાં ચારિત્ર હોય છે અથવા નથી હતું. જેમ પ્રમત્ત અર્થાત્ છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિઓમાં ચારિત્ર હોય છે પણ કષાય માટે ભજન જાણવી. અસંયત એટલે સમ્યગુદણિ અવિરત તથા મિથ્યાષ્ટિમા કષાય હોય છે પણ ચારિત્ર હોતું નથી. અને યથાખ્યાત ચારિત્ર સંપન્ન મુનિને ચારિત્ર હોય છે પણ કષાય નથી. . આ સૂત્રની ટીકામાં વિદ્વવર્ય મુનિરાજ શ્રી ઘાસીલાલજી મહારાજે સ્વકીય ભગવતીસૂત્રના ૧૦મા ભાગમાં ૩૭૦મા પાના પર “ધારિત પ્રયતીરાશિવ સવાયા” યદ્યપિ અભયદેવસૂરિજીના કથનને અનુકૂળ શબ્દો જ છે, છતાં પણ અભયદેવસૂરિજીના સમય દરમ્યાન યતિ શબ્દ મુનિ વાચક હતે જે પંચ મહાવ્રત આદિ સંયમ ગુણોને સાર્થક કરતો હોવાથી તે સમયના ઇતિહાસમાં યતિ શબ્દ મુનિને પર્યાય મનાતું હતું. જ્યારે આ વર્તમાન સમયમાં જ્યારે ઘાસીલાલજી મહારાજ વિદ્યમાન હતા અને ભગવતીસૂત્ર પર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ટીકા લખી રહ્યા છે તે દરમ્યાન યતિસંસ્થા મુનિ સ સ્થાથી સર્વથા ભિન્ન છે, જેમનાં જીવનમાં વ્રત નથી પણ સ્નાન પાછું, મેટર સવારી આદિ બધા એ સાવદ્ય કાર્યોની છૂટ છે અને મેટે ભાગે તે લગ્ન સંબંધવાળા છે. આવી સ્થિતિમાં યતિ શબ્દનો ઉપયોગ મુનિના પર્યાયમાં કરે તે સર્વથા અય્ક્ત છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy