________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૩૭ કેવળ મૈત્રીભાવના રાગડા તાણવા એ જુદી વાત છે અને જીવનના અણુઅણુમાં મૈત્રીભાવ કેળવે તે જુદી વાત છે. આ બધી વાતનું ધ્યાન રાખીને જ ભગવંતે કહ્યું કે, “વ્રતનિયમ-સદનુષ્ઠાન કે ધ્યાન આદિને ફલિતાર્થ કરવા માટે ભાષાવ્યવહારને સાપેક્ષ બનાવવાની તાલીમ સૌ પહેલા લેવાની જરૂર છે. અન્યથા સૌની સાથે વેર-ઝેર–કલેશ-કંકાસ–મારકૂટ આદિ તત્ત્વોને જીવનમાં પ્રવેશ કરતાં અટકાવી શકાશે નહિ.
વસ્તુ એક જ છે, વાત એક જ છે, જેમકે ગૃહસ્થાશ્રમને ભોગવતા કંટાળી ગયેલા માનવાએ બીજા જત ભાઈઓની કે દેશવાસીઓની સેવા કરવા માટે એક સંસ્થા ઊભી કરી. હવે આ લક્ષ્ય કે ધ્યેય બાબર રહે ત્યાં સુધી વાધો નથી પણ સ્વાર્થવૃત્તિના કારણે જ્યારે તે સંસ્થામાં ભંગાણ પડશે ત્યારે એક સંસ્થામાંથી બીજી, ત્રીજી સંસ્થા ઊભી થઈને માનવસેવા માટે ઊભી થયેલી તે સંસ્થા જ માનવ સેવાને બદલે માનવ સમાજને કે માનવતાને દ્રોહ કરનારી બની જશે. આ કારણે જ સ સાર દુઃખી છે, શ્રીમંત દુખી છે, સત્તાધારી દુ:ખી છે. અને સૌને વૈકુંઠવાસ, વિશ્વાસ કે મેક્ષ અપાવનાર ભાગ્યશાળીઓ પણ પિતાને ભાષાવ્યવહાર યદિ સાપેક્ષ બનાવવા ન પામે તે તે મહાદુઃખી છે.
વસ્તુની યથાર્થતા જાણવા માટે સાપેક્ષવાદ માપદંડ છે, જેની રૂપરેખે પહેલા અને બીજા ભાગમાં અપાઈ ગયેલી હોવાથી હવે આપણે મૂળ પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ.
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્વાદ્વાદી ભગવંત મહાવીરસ્વામીએ પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના આઠ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે –