________________
૧૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બનેલા સર્પ છુપાઈને રહે છે. તેમ છતાં પણ કદાચ કર્મસંગે વાંદરાના હાથમાં સર્પ સપડાઈ જાય તે કાકડી અને કઠેડાની જેમ પથ્થર ઉપર છુંદાઈને મરે છે.
મોરની નજરે પડતાં મોર સર્પને પૂંછડીએ પકડીને આકાશમાં સાથે લઈ જાય છે, પછી ઉપરથી નીચે પટકે છે, જે જીવતે હોય તે ફરીથી પકડીને ઊંચે લઈ જાય છે. આમ સર્પરાજને રીબાઈ રીબાઈને મરવું પડે છે. અને નોળિયા સાથેની પેની લડાઈ તમે જોઈ છે? સચેતન, સહૃદય, આસન્ન ભવ્ય પુરૂષને સર્પ અને નોળિયાનું યુદ્ધ જેવામાં આવ્યું હશે તે કંપારી છૂટ્યા વિના નહીં રહી હોય. જ્ઞાની પૂર્વજો કહે છે કે, “માંડવગઢનાં દટ્ટણ પટ્ટણ જોયા પછી માણસના જીવનમાં દાનેશ્વરિતા ન આવે, સમરાદિત્યની કથા સાંભળ્યા કે વાચ્યા પછી માણસને ક્રોધના ઉપશમપૂર્વક વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય તે, અને સર્પ અને નેળિયાની લડાઈ જોયા પછી “બાંધેલાં વેરઝેર કેવાં ભયંકર પરિણામે લાવે છે એમ વિચારતાં બધા જી સાથેના વેરઝેર શમાવી મિચ્છામિ દુક્કડં દેવાના ભાવ ન જાગે તે તેમને કમભાગી કે દૂરભવી સમજવા.” આ બધું જાણ્યા પછી ગતાનુગતિક દૃષ્ટિએ નાગપૂજા કે હાથીપૂજા કરવી જૈન શાસનને માન્ય નથી. બીજા ની મેલગામિતા ?
દેવલોકમાંથી બચવીને તેવા પ્રકારને દેવ પૃથ્વીકાયિક “મણિઓમાં પણ ઉત્પન્ન થાય છે. અને અવતાર પૂર્ણ કરી બીજા અવતારે મનુષ્યત્વને પામી મેક્ષમાં જાય છે, કર્મવશ વનસ્પતિમાં આવી મનુષ્યાવતાર ધારીને બીજે ભવે પણ મેસે