________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૮
૧૧૫ પ્રત્યક્ષ કરનારા અરિહંત પરમાત્માએ કહે છે કે “સર્પનું અને મનુષ્યનું શરીર આ બે શરીર કહેવાય છે, અને તે દેવ એવી રીતે બે શરીરવાળો થઈને મેક્ષે જાય છે. હાથી કે સર્પ શા માટે પૂજાય છે?
ગૌતમસ્વામીના પ્રશ્નોને જવાબ આપતાં ભગવંતે ફરમાવ્યું કે મોક્ષની લાયકાત મેળવેલે દેવ નાગ(સર્ષ કે હાથી)ના અવતારને પામીને બીજાઓ દ્વારા ચ દન કેસર કે ધૂપવડે પૂજાય છે.” “હે નાગરાજ ! હે ગજરાજ !” આવા માનવાચક શબ્દો વડે સ્તુતિપાત્ર બને છે. તેમનું શરીર બીજાઓ દ્વારા પૂજ્ય બને છે અને સારાં વસ્ત્રો તથા આભૂષણવડે સત્કરણીય બને છે તથા વિનયદ્વારા સન્માનિત થાય છે. દેવભવના મિત્ર દેવે તેમનું પ્રાતિહાર્ય અર્થાત્ સર્પન કે હાથીને મહિમા જેમ વધે તેમ કરે છે. આ કારણે જ નાગને દેવરૂપ માનીને આજે પણ નાગરાજ પૂજાય છે અને હાથીની સૂંઢ પણ પૂજાય છે. તેમને સોના ચાંદીના આભૂષણોથી શણગારાય છે. ત્યારે શું નાગપૂજા કરવી?
સંભવ છે કે આજે જે રીતે નાગ( સપ)ની કે હાથીની પૂજા વગેરે થાય છે તેમાં ઉપર્યુક્ત કારણ કદાચ હોઈ શકે પણ મોટા ભાગે તે પ્રાય-સર્પો નારકીયા કીડા જ હોય છે કેમકે લાખોમા એકાદને છેડી બાકીના સર્વે મહાકોધી ક્રૂરહિંસક હોવાથી પરઘાતક છે. મનુષ્ય અવતારમાં જેઓના વ્યાપાર-વ્યવહાર ભાષા આદિ બગડેલા હેય તેમને પોતાના કુટુંબના મેમ્બરેથી લઈને જગત સાથે પણ વૈર હોવાથી મરણાંતે સર્ષના અવતારને પામે છે. અને ઘણા જ દ્વારા ભયભીત