________________
શતક ૧૨ મું ઉદ્દેશક–૬ ગ્રહણની અશુભતા શા કારણે છે?
યદ્યપિ ગ્રહણ જેવી વસ્તુ જેન શાસનને માન્ય નથી માટે તે સંબધી કરાતો વ્યવહાર સમ્યગદષ્ટ નથી પણ મિથ્યાદષ્ટ જ છે, છતાં પણ વ્યવહારમાર્ગને લેપ સમાજને તથા ધર્મને હાનિકર્તા હોઈ શકે છે. તેથી જે ગામમા. તમે રહેતા હોય ત્યારે તે ગામમાં તે વ્યવહારને માન્ય કરીને પણ તે પ્રમાણે વર્તવામાં નુક્સાન નથી અન્યથા મિથ્યાત્વીઓનું અપમાન અને જૈન શાસનની નિંદા થવાના પ્રસગે ઘણીવાર ઉપસ્થિત થાય છે. ધાર્મિક જીવન પણ તેવું ન હોવું જોઈએ જેથી જીવનના પ્રત્યેક પ્રસગે વિસંવાદિતા અને સમાજમાં વર-વિરોધ ઊભા થાય. જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહણઃ
આકાશમાં અસંખ્ય તારાઓમાંથી જે વધારે પ્રકાશિત છે તે નક્ષત્ર તારાઓ છે, જેમની સંખ્યા ૨૭ની છે અને તેમની બાર રાશિઓ બની છે એટલે સવા બે નક્ષત્રની એક રાશિ છે.
ગમે તે ક્ષેત્રમાં માણસ જ્યારે જન્મે છે, તે સમયે આકાશમાં જે નક્ષત્ર અને રાશિ ઉદિત હોય તે અનુસાર જાતક (જન્મ લેનાર)નું નામ રાખવામાં આવે છે.
પ્રતિદિન એક એક નક્ષત્રને ભેગવતે ચદ્ર લગભગ ૨૭ દિવસે બારે રાશિ ઉપરનું પોતાનું ભ્રમણ પૂરૂં કરે છે. જાતકની જન્મ-પત્રિકામાં ને રાશિ ઉપર ચંદ્ર હોય અથવા બેલાતા નામના આદિ અક્ષરની જે રાશિ હોય છે તે રાશિ તે જાતકની કહેવાય છે. તે રાશિથી પહેલી, ત્રીજી, છઠ્ઠી, સાતમી, દશમી, અને અગિયારમી રાશિ પર અને શુક્લ પક્ષમાં તેનાથી વધારે બીજી, પાચમી, તથા નવમી રાશિ પર, ચંદ્ર હોય છે. ત્યારે