SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાતકનું મન શાંત, સ્થિર અને પ્રસન્ન હતાં તેને જુદી જુદી જાતના ફાયદાનો લાભ મળતો રહે છે. અને ચેથી, આઠમી, બારમી રાશિ પર ચંદ્ર હોય છે ત્યારે ધનની તબી, ચેરને ભય, અગ્નિને ઉપદ્રવ, મનમાં કલેશ, શરીરમાં બિમારી વગેરે થતાં રહે છે. સંક્રાન્તિ પરત્વે ગ્રહણ ફળ : ગ્રહણના સમયે રાહુદેવ જે રાશિમાં હોય તે રાશિ જાતકની રાશિથી ૩-૪-૮-૧૧ હોય તે સારું છે. તથા ૫-૯-૧૦-૧૨ જે હોય તે મધ્યમ, અને ૬-૭–૧ રાશિમાં ગ્રહણ થાય તે અશુભ ફળ છે. આવા સમયે નેમિનાથ પરમાત્માનું ધ્યાન કરવું, પૂજન કરવું શ્રેયસ્કર છે. સૂર્ય લગભગ ત્રીસ દિવસમાં રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહે છે. તે સમયે જાતકને પિતાની રાશિથી ૪–૮–૧૨ સૂર્ય હતાં તે સંક્રાંતિ તે જાતકને માટે સારી નથી, અને ૩-૬ ૧૦–૧૧મે સૂર્ય આવે ત્યારે જાતકને જુદી જુદી જાતના લાભ થતા રહે છે. તારાખલ : અશુભ ગોચરમાં સંક્રાન્તિ થયે છતે પણ જાતકને ચંદ્ર તારા કે ચન્દ્રની શુભ અવસ્થા હશે તે અશુભ સંક્રાતિ પણ શુભ બને છે. કૃષ્ણ પક્ષની દશમ પછી ચંદ્રનું બલ લગભગ સમાપ્ત થાય છે. ત્યારે આંગળીના ટેરવા ઉપર રાશિ ગણવાથી શું ફાયદો ? માટે તેવા સમયે તારાબળ વધારે ઉપયુક્ત છે પિતાના જન્મ કે નામના નક્ષત્રથી તેની ગણત્રી થાય છે. જેમકે કેઈનું જન્મનું કે નામનું નક્ષત્ર “હસ્ત” હોય ત્યારે સાથેના કેપ્ટક પ્રમાણે ગણત્રી કરવી. '
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy