________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૬
ઉપરાંગ સંબંધ કરે છે. ધ્રુવરાહુ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (પડવો)થી લઈને અમાવસ્યા સુધી ચન્દ્રની પંદરમાં ભાગની એટલે કે આકાશમાં દેખાતા ચન્દ્રના વિમાનના પંદરમાં ભાગને આચ્છાદિત કરતે રહે છે એટલું ખાસ જાણવાનું કે ઉપર આકાશના ભાગમાં જે સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા કે ગ્રહો દેખાય છે તે દેવે નથી પણ તેમનાં વિમાનો છે, જે ચલ છે. એટલે કે તેમનાં કર્મોની વિચિત્રતા જ એવી છે કે તેમનાં વિમાનો આંખના પલકારા જેટલા સમય પૂરતા પણ સ્થિર રહેતા નથી. તેમની સ્થિતિ પણ તેવી હોય છે કે ચંદ્ર અને રાહુના વિમાનો પાસે પાસે જ સંચરણ કરે છે. અને તેવી સ્થિતિમાં એક બીજાની છાયા એક બીજા પર પડે એને અર્થ એ નથી થતું કે સામેવાળાએ સામેવાળાને ગળી લીધું કે કુક્ષીમાં લઈ લીધો.
મનુષ્ય લેકમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ગાંધીમાર્ગ ઉપર રહેલી કેઈ સોસાયટીમાં ત્રિવેદી ચતવેદી કે મહાપડિત પણ રહેતો હોય છે. અને તે જ સોસાયટીમાં હરિજન પણ રહેતે હેાય છે. સાથોસાથ બનેના કર્માનુસારે બંનેને એક જ સમયે ઘેરથી નીકળીને અરવિંદ મીલમાં જવાનું હોવાથી આખા માર્ગ ઉપર નાત, જાત, જ્ઞાન-વિવેક આદિના કેઈપણ સંબધ વિનાને તે બંને લગભગ પગે ચાલતા કે બસમાં પણ સાથે જ જતા હોય છે અને આવતા હોય છે. વચ્ચે કેઈક સમયે એક સાથે જ બંનેની ગતી શીધ્ર થતી હોય છે કે મદ થતી હોય છે. તેમાં કારણ હોય છે એટલું જ છે કે તે બંનેના અદષ્ટ કર્મો એક જ ઓફિસ(ફર્મ)માંથી જેટલા કમાવવાના છે, અને ખવડાવવાનાં છે. છતા પણ ત્રિવેદી ત્રિવેદી છે અને હરિજન હરિજન છે. એવું પણ નથી બનવાનુ કે ત્રિવેદી હરિજન થઈ જાય કે હરિજન ત્રિવેદી થઈ જાય. તેવી રીતે