________________
૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેલી ચંદ્રની રેશનીને આચ્છાદિત કરતે તે રાહ પશ્ચિમમા રહેલા ચંદ્રની કળાને આવૃત્ત કરે છે, ત્યારે તે ચ દ્રની અપેક્ષાએ પૂર્વમાં હોય છે. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ દિશાના બે આલાપ સમજવા. એટલે ઉત્તર દિશામાં રહેલા ચંદ્રને અસ્વાભાવિક ગતિએ જો રાહુ જ્યારે આવૃત્ત કરે છે ત્યારે રાહુ દક્ષિણમાં દેખાય છે અને દક્ષિણમાં સ્થિત ચંદ્રની કળાને આવૃત્ત કરે છે ત્યારે રાહુ ઉત્તરમાં દેખાય છે. એ પ્રમાણે ઈશાન ને નૈિત્રત્ય કેણ, અગ્નિ અને વાયવ્ય કેણ માટે ઉપર પ્રમાણે સમજવું.
હવે સૂત્રકાર સુધર્માસ્વામીજી પોતે જ કહે છે કે જ્યારે આવતે કે જ, વિક્રિયા કે કામકીડા કરતે, રાહુ વારંવાર ચંદ્રની લેશ્યા–રેશનને આચ્છાદિત કરે ત્યારે મનુષ્યલેકના અજ્ઞાન જી કહે છે કે, “રાડુએ ચંદ્રમાને ગળી લીધો છે.” પણ આ તે ન ભ્રમ જ છે. સાચી વાત એ છે કે તે સમયે રાહુએ ચંદ્રને આચ્છાદિત કર્યો હોય છે અને જ્યારે રાહુ ચંદ્રની પાસે થઈને જાય છે ત્યારે લેકે કહે છે કે રાહુએ ચદ્રને પોતાની કુક્ષિમાં લઈ લીધું છે. અને જ્યારે ચંદ્રથી રાહુ આગળ નીકળી જાય છે ત્યારે “ચન્દ્રથી રાહુ મુક્ત થયે એમ લેકે કહે છે પણ આ બધું બ્રાન્તિવચન છે.”
ભગવંતે કહ્યું કે, “એક ધ્રુવ રાહુ અને બીજો પર્વ રાહ” એમ રાહુ બે પ્રકારે છે
ધ્રુવરાહ–જે કૃષ્ણ વિમાનમાં બેસીને ચન્દ્રની સાથે જ રહે છે. એટલે કે તેનાથી ચાર આંગળ નીચે રહીને સ ચરણ કરે છે તે
પર્વરાહુ-જે અમાવસ્યા અને પૂર્ણિમામાં ચન્દ્ર સાથે