________________
ઉજ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે પણ નકારી શકાતી નથી. પુગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે. સ્પર્શની સંખ્યા આઠની હોવા છતાં પણ પ્રાણાતિપાતાદિ કર્મ પુગલમાં સ્પર્શ ચાર જ હોય છે.
કષાયાદિમાં વર્ણાદિની વિચારણા
ગૌતમસ્વામીજીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે “દશ પર્યાને ધારણ કરનારા ક્રોધમા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સંખ્યા ઉપર પ્રમાણે છે, કેમકે ક્રોધના અધ્યવસાયને જનક (ઉત્પાદક) ચારિત્રમેહનીય કર્મ પુદ્ગલ છે.
ફોધના પર્યાય :
કોધ એ સામાન્ય છે અને બીજા પર્યાયે તેનાં વિશેષણે છે. તેમને વિચાર ક્રમશઃ કરીએ
૧. કોપ–કોના ઉદયકાળે નિજસ્વભાવથી ચલાયમાન થવું તે
૨. ર–શાંત ન થતાં ક્રોધને પરંપરા આગળ ચાલે તે. ૩. દેષ–ક્રોધાવેશમાં આવીને સ્વપરના દેષ બોલવા તે. ૪. શ્રેષ–બીજા પ્રત્યે અપ્રીતિભાવ રાખવો તે. પ. અક્ષમા–પારકાના અપરાધને સહન ન કરવા તે. ૬. સંજવલન–વારંવાર ક્રોધાગ્નિથી બળ્યા કરવું.
૭. કલહુ–પરસ્પર જીભાજોડી કરવી અને ઊંચા સાદે (અવાજે) અનુચિત અસભ્ય વાન્ગવ્યવહાર કરે તે.