________________
६७
શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ કેટલા પ્રકારે છે ?' જવાબમાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ, તેના સાત પ્રકાર છે.”
૧. ઔદારિક પુદ્ગલ પરાવર્ત. ૨. વૈકિય પુગલ પરાવર્ત. ૩. તૈજસૂ પુદ્ગલ પરાવર્ત. ૪. કાર્પણ પુદ્ગલ પરાવર્ત. પ. મનઃ પુદ્ગલ પરાવર્ત. ૬. ભાષા પુદ્ગલ પરાવર્ત. ૭. શ્વાસોશ્વાસ પુગલ પરાવત.
ઉપર્યુક્ત સાતેય પુગલ પરાવર્તામાં સંપૂર્ણ જીવરાશિના સમાવેશ થઈ જાય છે–જેમ કે સૂક્ષ્મ-બાદર–પર્યાપ્ત–અપર્યાપ્ત એકેન્દ્રિય જીવથી લઈને સંમૂછિમ કે ગર્ભજ પચેન્દ્રિય જીવને ઔદારિક પુદ્ગલથી બનેલ ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય છે. દેવ–નારક આદિ ને વૈકિય પુદ્ગલ પરાવર્તને લઈને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલા અને તાનંત જીવોને તૈયુ અને કાર્પણ પુગલ પરાવર્તને લઈને તૈજસુ અને કાશ્મણ શરીર હોય છે. તથા પુણ્યકર્મના સિતારા જેના ચમક્યા હોય છે તેને જ મન, વચન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલેની પ્રાપ્તિ થાય છે
જ્યારે ગાય, હાથી, કૂતરા, ઘેડા આદિ જીને પચેન્દ્રિયત્ન પ્રાપ્ત થયા છતાં, પિતાના માલિકને ઘણી ઘણી વાત કહેવા ઈચ્છતાં છતાં કર્મ સત્તા આગળ લાચાર બનેલા તે મનમા ઘણી મૂંઝવણે અનુભવી રહ્યા છે, છતાં એક પણ અક્ષર તેઓ બેલી શકતા નથી.