________________
१४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પુદ્ગલેને પરિવર્તનભાવ:
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! આ બધા પુદ્ગલ પરમાણુઓનું સંહનન (સ્કંધ રૂપે ભેગા થવું) અને વિઘટન (જુદા જુદા વિખરાઈ જવું ) એટલે કે આજે અત્યારે એક પરમાણુ સર્વથા પૃથક્ છે, તે યથા સમયે બીજ પરમાણુ યાવત્ સંખ્યાત અસ ખ્યાત કે અનત પરમાણુઓની સાથે સંમિશ્રણ થાય છે અને અદષ્ટ નિમિત્તોને લઈને પાછા છુટા પડે છે જે બીજા સ્કંધ સાથે ભેગા મળે છે. તેને જ જૈન શાસન પુદ્ગલેને પરિવર્તનભાવે કહે છે એટલે કે–તેમનામાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે અને આ રીતનો પરિવર્તનભાવ અનંતાનંત તરીકે કહેવાય છે. અનંતને અનંતથી ગુણીએ તે અને તાનંત થાય છે. આ પરિવર્તનભાવ કેઈની પણ શરમ કે અપેક્ષા રાખ્યા વિના અનાદિકાળથી અનત કાળ સુધી થયા છે, થાય છે અને થતા રહેશે.
જીવને ઉત્પન્ન થવામાં નિના સ્થાને પગલે પરિવર્તનભાવે અવયંભાવી હોય છે, કેમકે પગલે જીવને આશ્રિત હોવાથી અને જીવમાત્ર પોત પોતાનાં કર્મોને અધીન હેવાથી પિત પિતાનાં નિયાણઓને અધીન બની જીવમાત્ર પોતાને ગ્ય પુદ્ગલનું ગ્રહણ કરે છે અને રાગદ્વેષપૂર્વક બાંધેલાં કે બંધાઈ ગયેલાં નિયાણાઓને ભોગવવાને સમય જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલેનો પરિવર્તનભાવ નસીબમાં રહે છે. ઉદાહરણ કપીને વાત કરવી હોય તો એક જીવાત્માએ પહેલાના કોઈક ભવમાં બીજ જીવાત્મા સાથે વૈરનાં નિયાણું બાધ્યા અને આ ભવમાં તેનો પરિપાક થવાને સમય પણ પાક્યો છે, માટે સંયમી–સદાચારી-ધામિક-સમતાશીલ-નિરોગી