SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ શતક ૧૨ મું ઉદ્દેશક-૪ કે અનંત વાતે એટલા માટે જાણવા લાયક છે જે વિના માણસ માત્રનું જ્ઞાન અધૂરૂ અને સંદિગ્ધ, વિપરીત કે અનિર્ણયાત્મક જ રહેવા પામે છે. આનાથી આત્માની બીજી કમજોરી કેઈ નથી. સસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાનનાં સ્થાનકે ઘણાં હોય છે, અને તેના પ્રચારકે પણ ઘણું હોય છે. તે કારણે તેમની જાળમાં ફસાયેલે માણસ કાં તે પૂર્વગ્રહની ગાઠમા બંધાય છે કાં સર્વથા અજ્ઞાન અથવા વિપરિત જ્ઞાનના ચક્રાવે ફસાઈને મેળવેલા દેવદુર્લભ મનુષ્ય અવતારને ખારે ઝેર બનાવે છે. આ કારણે સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંરિહ તદેવોની દ્વાદશાગી સિવાય બીજું એક પણ સાધન નથી. એક બે ત્રણ ચારથી લઈ અનંતાનંત પુગલેના અનંત સ્કને આ સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષ કરી રહ્યા છીએ એક ઈટ પણ કેટલાય પુદ્ગલ પરમાણુઓને સ્કંધ છે અને અસંખ્યાત ઇટોને બનેલ દશ કે બાર માળને બંગલે પણ પુદ્ગલ સ્ક ધ કહેવાય છે. આપણું શરીર- હાથ-નાક-આંખકાન અને વાળ આદિ બધાએ અગણિત પરમાણુઓના બનેલા પુગલ સ્કંધે છે આપણે જે આહાર કરીએ છીએ તે પણ અગણિત પુગલ સ્કે ધો છે અને ખાધેલો ખોરાક વિષ્ટા-સૂત્રપરસેવા આદિ દ્વારા બહાર કાઢીએ છીએ અને શરીરમાં શેષ રહેલા લેહી માંસ, હાડકા, ચરબી, મજજા અને શુક્ર ધાતુમાં પણ અગણિત પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, જેમના ઉપકારથી આપણે જીવિત રહીએ છીએ અને એક દિવસે અનંત જુગલ પરમાણુઓનું બનેલું આપણું શરીર–પરમાણુઓને સ્કંધ અનંત લાકડારૂપ પરમાણુ સ્કંધોમાં બળીને રાખમાં પરિણત થાય છે. દશ માળના મકાનમાં અનંત પુદ્ગલ સ્કો ભેગા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy