________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૩
પપ હાડકા, મેદ, માંસ તથા ચરબી ભરેલાં ગંદા ત છે, ત્યાં છેલ્લા શ્વાસ સુધી મહાયાતના ભેગવે છે.
(૧૫) પેદ–જે પુરૂષે સારી ખાનદાનીમાં જન્મીને શુદ્ર જાતિની સ્ત્રી સાથે સ્વછંદ વિહાર કરે છે, અને આચારવિચાર તથા નિયમેને ત્યાગ કરે છે, લજજાનો ત્યાગ કરી સ્વેચ્છાચારી બને છે, તેઓ પણ વિષ્ટા, મળ, મૂત્ર, પરું, ચરબી, માસ આદિથી ભરેલા સમુદ્ર જેવા પૂર નામના નરકમાં પડે છે અને તે જ વસ્તુઓનું ભક્ષણ કરી મહાવેદનાને ભોગવવા પાત્ર થાય છે.
(૧૬) પ્રાણરોધ–જે સારા ખાનદાનમાં જન્મીને પણ પિતાને ત્યા કૂતરા–પોપટ આદિને પાળે છે, બીજા પંખી, પશુઓને શિકાર કરે છે, અને ધર્મકર્મ વિના જીવન જીવે છે, તેઓ આ નરકમાં જન્મે છે, જ્યાં યમદૂતે તેમને બાણવડે તથા બીજાં શસ્ત્રવડે વીંધે છે.
(૧૭) વૈશસૂ–અગ્નિમાં પશુઓનો વધ કરનાર આ નરકમાં જન્મે છે, ત્યાં તેઓ રીબાઈ રીબાઈને સમય પૂરો કરે છે
(૧૮) લાલાભશ્ન–જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પુરૂષ પોતાની સહજાતીય સ્ત્રીને કામ મેહિત કરીને પોતાનું વીર્ય પીવડાવે છે તેઓ આ નરકમાં જન્મે છે અને યમદૂતે તેમને રેતઃ ફૂલ્યા નામની નદીમાં નાંખે છે અને વીર્ય પીવડાવે છે.
(૧૯) સારયાદન–જે ચેર-બદમાસ માણસે ગામડાંને લૂટે છે, બળે છે, તેમને યમદૂતે ૭૨૦ કૂતરાઓ વડે બધી રીતે હેરાન કરે છે.