________________
૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૦) કૃમિકુંડ (કૃમિ ભજન)–ધાર્મિકતાથી દૂર રહેલે માનવ, ઘરના ઓટલે આવેલા સાધુ-સંત–અતિથિ આદિને કઈ પણ આપ્યા વિના ભેજન કરે છે તે માનવ આ લાખ જનવાળા કૃમિકુંડમા જન્મે છે, જ્યાં કીડાઓનું ભોજન કરે છે, અને બીજા કાગડાઓનુ પોતે ભોજ્ય બનીને ચીસે નીકળી પડે તેવી વેદનાઓ ભોગવે છે.
(૧૧) સંદશ—જે માણસે સુખી જીવનમાં પણ બીજાઓની ચોરી કરે, તેમને વિશ્વાસમાં લઈને ઠગે, બેટાં તેલ-માપ રાખે તે આ નરકભૂમિમાં આવે છે, જ્યાં યમદૂતે ધગધગતા સાણસાઓથી પકડીને તેમની ચામડી ઉતારી લે છે.
(૧૨) સુમ–જે કામવાસનાના ગુલામ થઈને અમર્યાદ લેગ ભેગવે છે, અગમ્ય, ગુરુ પત્ની, મિત્ર પત્ની, પુત્ર પત્ની, હલકા આચારવાળી અને હલકી જાતિની સ્ત્રી સાથે કે તેવા પુરુષ સાથે વિષયનું સેવન કરે તે તેમને આ નરકભૂમિમા ચાબુકના માર પડે છે. અને તપાવેલી લેઢાની પુતળી સાથે પુરુષને તથા તપાવેલા પુરુષના પુતળા સાથે સ્ત્રીને ભેટાડે છે.
(૧૩) વા કંટક-માનવાવતારને પામીને પણ જે પશુઓ સાથે વ્યભિચાર કરે છે, તેમને યમદૂત વજી જેવા કાંટાવાળા, શીમળાના ઝાડ પર ચડાવીને નીચે ખેંચે છે.
(૧૪) વૈતરણી–જે રાજપુરુષ-સત્તાધારીઓ ધર્મકર્મની મર્યાદા છેડી સ્વછંદી બને છે, તેઓ આ સ્થાનમાં જન્મીને જળજી દ્વારા ભયંકર યાતનાઓ ભોગવે છે. વિતરણ નદી જેમાં વિષ્ટા, મૂત્ર, પરૂં, લેહી, વાળ, નખ,