SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દર ] વિનય એટલે વ્યક્તિ માત્રને કેશ કરવાની કળા. જીવન ટકાવવાનું–નભાવવાનું પણ, આજીવિકાની વૃત્તિ જેમ અનેખી તેમ પ્રવૃત્તિ પણ અનેખી. જીવન દ્વારા સાધનાની સિદ્ધિ કરવાની... ચારિત્રનું પાલન કરવાનું એટલે તે માટે દેહ ટકવો જોઈએ. દેહ આવે એટલે પાછી દેહની પાછળ છૂપાયેલ દેહના મમત્વની મૃગમરીચિકા આવવાની. જીવવાનું એટલે શ્વાસ લેવું પડે, શ્વાસ મૂક પડે, સૂવું પડે, બેસવું પડે, બેલિવું પડે, ખાવું પડે. ભજન અને ભાપણ આ બે પ્રવૃત્તિ એટલી બધી વિષમ છે કે વિવેક ન હોય તે વ્યક્તિની વર્ષોની સાધના ક્ષણમાં ભસ્મીભૂત કરી દે.” સાધુ જીવનમાં કઈ પરીક્ષા ઓછી છે ? ગૃહસ્થની કલેટી તે ભજન કરતાં થાય. સાધુની કસોટી તે ભેજન લાવતાં–ગૌચરી લાવતાં જ થઈ જાય. શયન-ઉત્થાન–વિહરણ શ્વાસોચ્છવાસ આવી અનેક પ્રવૃત્તિ છે જેમાં બીજાના સાથસહકાર સહારાની જરૂર પડતી નથી જ્યારે સાધુ જીવનનાં આહાર અગે સાથ સહકારની અપેક્ષા રહે છે. ગ્રહસ્થ પાસેથી સાધુએ આહાર મેળવવાને પણ આસ્વાદ નહિ મેળવવાને ગૃહસ્થ પાસેથી સાધુએ આહાર મેળવવાને પણ તેના ઉપર અધિકાર સ્થાપિત નહિ કરવાને. સાધુએ આહાર લેવા દ્વારા જીવન ટકાવવાનું. જીવન દ્વારા સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવાની રોજની જરૂરિયાતમાં વ્યક્તિ “જે મળે તે ચાલે એ સિદ્ધાંત અપનાવી શકતું નથી. અલ્પને સ્વીકારી શકતો નથી. જીવન જરૂરિયાતની અને તેમાં પ્રતિદિનની આવશ્યક ચીજ મારે તે સુંદર જોઈએ, સ્વચ્છ * ! જોઈએ, શુદ્ધ જોઈએ સાત્વિક જોઈએ, મનપસંદ જોઈએ, * પુષ્ટિદાયક જોઈએ, વિપુલ પ્રમાણમાં જોઈએ, ખુદની પ્રકૃતિ
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy