SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] યાગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાણ ભાવના નથી પણ મનામણાની માંગણું છે. મારા માન-સન્માન કરે તે જ ભેજન કરીશ; આ પ્રતિજ્ઞા તારા કમને પુષ્ટ કરે છે. તેને ત્યાગ કર. મારાથી કેઈ અપમાન થશે તે હું ભજન નહિ કરું આવા પવિત્ર ઉદ્દેશથી પ્રતિજ્ઞા કર. માન ભૂલાવે છે તેમ માયા પણ માનવને ભ્રમણ કરાવે છે. મલ્લિનાથ સ્વામી તીર્થકરના આત્મા તેમને પણ ત્રણ શિવ પહેલાં માયા સુજાવી ગઈ. તપ કરું પણ મારા સાથી સાધુઓને ખ્યાલ ન આવે તેમ કરું. નહિતર અમે બધા સરખા થઈએ. તપના પરચક્ખાણ માયાથી કર્યા. પ્રતિજ્ઞા અવશ્ય થઈ પણ લાભ શુ ? આ છે મુનિ વિશ્વની કોઈ વ્યક્તિને છેતરે નહિ, કેઈની સાથે કપટ કરે નહિ, કેઈનો વિશ્વાસ ભંગ ન કરે, તો સહાયક સાથે મુનિ સાથે કપટ કરે? મુનિને કેટલું નુકશાન? અપ્રમત્ત ગુણસ્થાનકમાં નિવાસ કરનાર મુનિ સ્ત્રીવેદ બંધાયા તેવા પરિણામથી મિથ્યાત્વ સુધી પહોંચી ગયા. “આપણે આત્મા કપટી બને તેવી પ્રતિજ્ઞાનો ત્યાગ કર. * * આ બધા મહાત્માઓએ જીવનમાં એકાદવાર કપટથી પ્રતિજ્ઞા કરી, પણ આપણે તે દિવસમાં એકવાર તે પ્રતિજ્ઞા કરતાં જ હશે કે “જેજે, હવે તમને બનાવું નહિ તે મારું નામ નહિ ? હું શું કરું છું એ તમને ખબર જ નહિ વડવા દઉ. માયામાં મસ્ત બની ગુરુજીને પણ ઊંધા પાઠ ભણાવી દઈએ છીએ. દિવસે નિદ્રા લેવી હોય, પણ દિવસે સૂઈએ તે પ્રમાદી, કહેવાઈએ એટલે બહાનું શોધી લઈએ થું દુખે છે તે સૂઈ જાઉ ? પેટમાં દુખે છે તે સૂઈ ', ઉં? બસ પછી તે માયામાં કુશળ બની કેટલીય પ્રતિજ્ઞા કરીએ છીએ. .
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy