SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પર યુગમધાન શ્રીજિનચંદ્રસૂરિ નિયમ પ્રમાણે વિકાસ અને વિસ્તાર એ જેટલા સ્વાભાવિક છે તેટલાજ વિરોધ અને વૈષમ્ય પ્રત્યેક શાખાને માટે ભયંકર તેમજ પ્રાણ હાનિકર છે. આપણા ગચ્છના ઈતિહાસમાં એ. બને વસ્તુઓ મળી આવે છે, આરંભને ઇતિહાસ શૌર્ય અને ઔદાર્યથી અંક્તિ હોય છે, પણ એ પછી જેમજેમ વર્તમાનકાળની નજીક આવીએ છીએ તેમતેમ વિરોધ અને ભેદ ભયંકર રૂપ ધરતા જણાય છે. મનુષ્ય સ્વભાવ જાણે યુધ્ધશીલ હાય નહિ, તેમ નાની નિર્જીવ વાતો પર ઝઘડા થયાં કર્યા છે, પુરાત વીર પુરૂનાં કથાનક સાંભળી તથા સંસ્મરી આપણે આલ્હાદ અનુભવીએ છીએ પણ વર્તમાન સ્થિતિને સામનો કરવાને અવસર આવે છે ત્યારે તે ઉછાળા મારતું ગરમ લેહી પણ જાણે કે થીજી જતું હોય એમ લાગે છે, આપણે સંદ સંસ્થાનું બળ છિન્નભિન્ન થયું છે અને અન્ય સામાન્ય વિરેધીના હાથ મજબૂત બન્યા છે, હજુ પણ સમાજ ચેતશે અને આપસ આપસના કેલેશથી તદન મુકત રહેવાનું મન, વચન, કાયાએ પાળી શ્રીવીતરાગ પ્રભુના પિતે સાચા અનુયાયી છે એ સ્વતઃ સિધ્ધ કરશે? સૌ પિતપોતાના સંગઠન જે. કુપ્રથાઓના દાસત્વને દૂર કરે અને જ્ઞાનના વિસ્તાર અર્થે કંઈક પણ સંગીન કામ કરી બતાવે તો સમુચ્ચયે સમગ્ર જૈનસંઘ. સંગઠિત અને બળવાન બન્યા વિના ન રહે, એ નિર્વિવાદ છે. - ભૂતકાળની ભવ્યતાનું સંગીત દૂર દૂરથી આવતા સંગીતની પેઠે મનરમ અને કર્ણપ્રિય લાગે છે અને માણસને મુગ્ધ. બનાવે છે, તેમાંથી ઘણીખરી વિષમતા, ૐરતા ઉડી જાય છે, દૂરદ્રથી વહી આવતા ઝરણનું પાણી જેમ નિર્મલતા પામે. તેમ ભૂતકાળના સુર પણ અધિક નિર્મલ બને છે, ક્ષેત્ર અને
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy