________________
૫૦
યુગપ્રધાન જિનચંદરિ મૂકવામાં આવી છે તેથી આ પુસ્તકમાં તે સંબંધી નિદેવ કરવાથી લેખક મુક્ત રહ્યા છે તે અઘટિત છે.
જીવન રાત્રિના પુસ્તકમાં ઉપદેશક વિવેચને વધુ પાનાં કે તે તે અંદરના તિહાસને લગભગ દાટી દઈને વાંચકને ગુદાની વાતથી જ વિમુખ બનાવી દે તેવી ધાસ્તી છે. પુસ્તકને હેતુ કદાચ જૈન ધર્મનો યશ પ્રદ્યોત બતાવવાનો હોય, તેની ફિકર નથી, પરંતુ ધર્મનાં ઉપરછલાં વિવેચનોને લીધે પુસ્તકની એતિહાસિક મહત્તા જાંખી પડે છે એ ધ્યાન બહાર રહેવું ન જોઈએ.
આ પુસ્તકના લેખક તથા “સૂરીશ્વર અને સમ્રાટના લેખક મુનિ પોતાના એતિહાસિક શેખને હરદમ સિંચન કર્યા કરે અને ભવિષ્યમાં વિશેષ અંધકાર ભેટીને એવીજ સાચી ધાતુ કશા મિશ્રણ વિના આપણી સમક્ષ મૂક્યાં કરે, એમ ઈચ્છીશું.
જૈન સંઘ એ એક વિરાટ વટ વૃક્ષ છે. તેના થડમાંથી કુટેલી વેતામ્બર અને દિગમ્બર નામની બે મહતી શાખાઓ છે, અને એ શાખાઓમાંથી ગઈ, સંપ્રદાય, જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓની કેઈ અજબ રીતે પાંગરેલી ડાળીઓ છે, કે જેથી બધી દિશાઓ ભરાઈ ગઈ હોય તેવું કલ્પનામાં આવે છે, તે વિરાટ વૃક્ષનાં મૂળ જેટલા ઉંડા છે તેટલી જ તેની શાખાઓ હરીભરી છે, ડાળીએ ડાળીએ પુષ્પોની અને ફળોની બહાર જામી પડી છે, તે વૃક્ષની શાખાએ શાખાએ ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળી પુરુષની કીર્તિ સુવાસ બહેકી રહી છે, શાખાઓ ડાળીઓ જાણે કે પરસ્પર સાત્વિક સ્પર્ધા કરતી હોય એમ લાગશે.
સંઘ તો અવિભક્ત રહેવો જોઈએ, એ સિદ્ધાંત ઘણો