________________
१८८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થોડા સમયે ત્યાંજ એમને સ્વર્ગવાસ થયે હોય, કેમ કે એ સમયે એમની ઉંમર ૮૦-૯૦ વર્ષની હશે. એમને ઉ. પદ્મરાજ, હર્ષ ફુલ, જીવરાજ આદિ કેટલાંય શિષ્ય હતા, જેમાં પદ્યરાજજી સારા વિદ્વાન હતા, જેમણે બનાવેલ (1) ભુવનહિતાચાર્ય કૃત રુચિરદંડક વૃત્તિ (સં. ૧૬૪૪), (૨) અભયકુમાર ચૌ. (સં. ૧૬પ૦ જૈસલમેર), (૩) સનકુમાર રાસ (સં. ૧૬૬૯ જૈન ગુ. ક.), (૪) ક્ષુલ્લક ઋષિ પ્રબંધ (સં. ૧૯૬૯ મુતાન, ગા. ૧૪૧ અમારા સંગ્રહમાં), (૫) ચૌદ ગુણસ્થાન સ્તવ ટ, ૯ બેલ ગર્ભિતિ ચોવીસ જિનસ્તવનાદિ ઉપલબ્ધ છે, તદુપરાંત નાની મોટી ઘણી કૃતિઓ બીજી પણ મળે છે. સં. ૧૬૪૫ માં જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ-વૃત્તિની રચનામાં પિતાના ગુરુ શ્રી પુણ્યસાગરજી મહાને સારી એવી સહાયતા કરી હતી.
એમના શિષ્ય વાચક જ્ઞાનતિલક પણ સારા વિદ્વાન હતા. સં. ૧૯૬૦ દીવાળીના દિને એણે “ગૌતમ-કુલક” પર વિસ્તૃત ટીકા અને પાક્ષિક સામણુક વ્યાખ્યા (ઉ. વિ. ના સંગ્રહમાં) રચી હતી. જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના પ્રથમદર્શને. લેખક એ પિતજ હતા. એમનાઓ રચેલા કેટલાએ સ્તવનાદિ મળી આવે છે.
મહોપાધ્યાયજી વિશે વધુ માહિતી મેળવવા “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” જેવો જોઈએ. સં. ૧૯૧૭ માં પાટણ ખાતે શ્રી જિનચન્દ્રસૂરિજીકત “પૌષધવિધિ પ્રકરણવૃત્તિ” નું ! એમણે સંશોધન કરેલ હતું.'
(૨) ધનરાજોપાધ્યાય – તેઓ પણ સારા વિદ્વાન હતા. સં. ૧૯૧૭માં રચાએલ શ્રીજિનચંદ્રસૂરિજીની “પોષધ વિધિ પ્રકરણ વૃત્તિ” ના સંશોધકેમાં એમનું પણ નામ આવે છે.