________________
૧૨૪
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિજી પંચ નદી (ના અધિષ્ઠાતા દેવોને) સાધીને* પ્રાતઃકાળમાં (પાછા ચંદુવેલી) પત્તન પધાર્યા. વિવિધ વાજિંત્રે વાગવા લાગ્યા, નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ ચાચકને મેં માગ્યા દાન આપ્યાં. ઘેરવાડ કુળના શાહ નાનિગના સુપુત્ર રાજપાળે પિતાના દ્રવ્યનો છૂટથી સદુપયેગ
* પંચ નદીની સાધના સર્વ પ્રથમ તો સંધની ઉન્નતિ માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદસુરિજી અને જિનમાણિજ્યસૂરિજીએ પણ એ સાધના કર્યાનાં ઉલ્લેખ પટ્ટાવલિયામાં મળે છે. પંચ નદી સાધનાની બાબતમાં શ્રી જિનવિજ્યજી સંપાદિત! ખરતરગચ્છ પટ્ટાવલી - સંગ્રહ! (પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અકાય જીવોની વિરાધનાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગમોમાં આજ્ઞા છે. ( તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિત્તે તત્કાલીન ઈત્વરિક ચક્રવતી નમુચીને પ્રાણાંત શિક્ષા દઈને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર ઈપથીકી પ્રતિક્રમિનેજ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે.) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસમજીએ પિતાના પ્રશ્નોત્તર ગ્રંથ” ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે – '
"जे खरतरगच्छि पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख धर्मार्थीनई साधवा नथी कहा, ते पिण साधै छै, वली इहां घणी जीव विराधना थाइ छै ते स्यु? तत्रार्थ:-श्रीसंघनइ समाधाननिमित्ति श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मत्रनई गुणणे तथा तप संयमई सतोष्या हुता. देवताई पिण संतुष्ट थए थके वाचा लीधी हुती जे इणइ देशमाहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एकठइ मेल थए सूरिमंत्र जाप करै, अम्है पिण संघना विन्न वारिस्यां एतले वर दीधै थके श्रावक श्राविकाए पुणि तेह देवताने बली बाकुलनी