SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પરથી, તેમજ અબુલ-ફજલની “આઈન–ઈ–અકબરી,” બદાઉનીના “અલ–બદાઉની, “અકબર-નામા વગેરે મુસલમાન લેખકેએ લખેલા ગ્રંથ પરથી સ્પષ્ટ જણાય છે.” કેવળ અકબર પરજ નહીં, કિન્તુ એના પુત્ર સલીમ આદિ પર પણ સૂરિજીને પ્રભાવ યથેષ્ટ હતો. એમને આ પરિવાર સૂરિજી મહારાજને પરમ ભક્ત બની ગયે હુંતો, સમ્રાટના સભાસદ આદિ પર પણ સૂરિજીનો ખાસ પ્રભાવ હતો. જેમાં શેખ અબુલ-ફજલ, આજમખાન, ખાનખાના અબ્દુડી મx અને નવાબ મુકુરબખાન આદિ વિશેષ ઉલ્લેખનીય છે. આ બાબતને ઉલ્લેખ તત્કાલીન સૂરિજીની ગહૂલીયામાં મળી આવે છે. - અબુલફજલને જન્મ સન્ ૧૫૫૧ ઈ. (હિ. સ. ૯૫૮ ના મેહરમની ૬ દી તારીખે) થયો હતો. સન ૧૫૭૪ માં તેઓ અકબરના દરબારમાં દાખલ થયા. ધીરે ધીરે ઉંચી પદવી પ્રાપ્ત કરતાં કરતાં ઈ. સન ૧૬ ૦૨ માં એમને પાંચ હજારીનું મનસબ (સેનાધ્યક્ષપણું) મલ્યું. સમ્રાટ એમના શાંત સ્વભાવ, નિષ્કપટ વૃત્તિ અને સ્વામીભકિત પર વિશેષ સ્નેહ અને વિશ્વાસ રાખતા હતા. અબુલફઝલ અકબરના સર્વસ્વ હતા, એમ કહીએ તેય જરાય અતિશયોકિત નહીં થાય. ૪ ખાનખાનાને જન્મ સં. ૧૬૧૩ના માગસર શુ. ૧૪ ના રોજ થયો હતો. એનું પૂરું નામ “ખાનખાનાન મિઝ અબ્દુર્રહીમ હતું. એના પિતાનું નામ “બૈરામખાન” હતું. એણે ગુજરાત પર વિજ્ય કર્યો એથી પ્રસન્ન થઈ સમ્રાટે એને “ખાનખાના” ને ખિતાબ આપે. અને પાંચ હજાર ફોજના સેનાપતિ બનાવ્યું આ બાબતમાં વિશે જાણવાને “ખાનખાના-નામ” અને “આઈન–ઈ–અકબરી જુઓ. : अवलियर अकवर, तासु अंगज, सबल साहि सलेम। शेख अबुल, आजम खानखाना, मानसिंहमु प्रेम ॥ १॥ गच्छपति गाईयइ, जिनचंद्रमूरि, मुनिमहिराण । (સમયસુંદર કૃત જિનચન્દ્રસૂરિ ગીત)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy