SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સં ૧૯૬૧ માં મેઢેથી મુહપત્તી ઉતારી દેરાવાસી સાધુનો વેષ ધારણ કર્યો અને પિતાનું નામ રૂપ મુનિ અને શિષ્યોનું નામ વીરમુનિ તથા ગુલાબ મુનિ રાખી વિચરવા લાગ્યા. ત્યાર પછી યોગ્ય ગુરૂની તપાસમાં વિહરતા રહ્યા. શ્રીગુલાબ મુનિના નાના ભાઈ ગિરધારીની ભાવના પણ દીક્ષાની થવાથી સં. ૧૯૭૧ માં તેને દીક્ષા આપી અને ગુલાબ મુનિના શિષ્ય ગિરિવર મુનિના નામથી જાહેર કર્યા. પછી તો પાછા વિહાર કરતાં કરતાં મારવાડ આવ્યા અને ગુલાબમુનિજી મહારાજ તો ગુરૂદેવની સેવામાં જ પોતાનું કર્તવ્ય માનવા લાગ્યા. કાલક્રમે ગુરૂ રૂપચદજીને લકવો થયો. અને તેથી નાગોરમાં ચારે મુનિ સ્થિરવાસી રહ્યા. સં ૧૯૭૫ માં શ્રાવણ સુદ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટી શાંતિ બોલતાં બોલતાં નાગોર મારવાડમાં તેઓ સ્વર્ગવાસી થયા અને સંઘમાં શોકની છાયા છવાઈ ગઈ. શ્રીસંઘે ગુરૂદેવની પાલખીને સજાવી. સ્મશાન યાત્રા શહેરમાં ફરી વળી-હજારો લોકોએ અંતિમ દર્શન કર્યા. ગુલાબમુનિજી તે ફરી નિરાધાર બની ગયા. તેમના શોકનો પાર ન હતું. રાત્રિનો સમય હતે. ગુરૂદેવના સ્વર્ગ ગમનથી ગુલાબમુનિજી શોકાતુર હતા–નિદ્રા વેરણ બની હતી. નમસ્કાર મહામંત્ર–ઉવસગ્ગહર અને મોટી શાંતિનો જાપ કરતાં કરતાં આંખો મીંચાઈ ગઈ અને એક સુંદર સ્વમ લાધ્યું. ગુરૂદેવે દર્શન દીધાં-ગુલાબમુનિજી તે ગુરૂદેવના ચરણમાં પડી ગયા-આંસુઓથી ગુરૂદેવના પગ પખાળ્યા. ગુરૂદેવે ધીરજ આપી અને તીર્થાધિરાજ શત્રુંજય જવા પ્રેરણા કરી. આંખો ખોલી જુએ તો ગુરૂદેવ તે અદશ્ય થઈ ગયા. પણ ગુરૂદેવને સંદેશ હૃદયમાં કોતરાઈ ગયો તીર્થાધિરાજ શત્રુંજયમાં ઉદ્ધાર થશે. એ પરમ પવિત્ર તીર્થધામ ચિરંતન શાંતિ આપશે એમ વિચારી ચોમાસા પછી પાલીતાણા તરફ વિહાર કર્યો ગામાનું ગામ વિહાર કરતાં કરતાં પાલીતાણા આવી પહોંચ્યા. તિર્થાધિપતિ શ્રી આદીશ્વર દાદાના દર્શનથી હૃદયને શાંતિ મળી. મંદિરોના નગરમાં આત્મશાંતિ અને જીવનનું નવું દર્શન મળ્યું. યોગી રાજના ચરણમાં પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ક્રિયાપાત્ર વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિ શ્રીમોહન લાલજી મહારાજ એક સુપ્રસિદ્ધ જશનામ કમ મુનિરત્ન થઈ
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy