SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિપરંપરા ૧૫ ગર્ભિત સ્તોત્ર આદિ અનેક સ્તોત્રો આદિની રચના કરી છે. એમને સ્વર્ગવાસ સં. ૧૨૧૧ અષાઢ સુદ ૧૧ના રોજ અજમેર ખાતે થયે. એમના પટ્ટ પર નરમણિમંડિતભાસ્થલ આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને એમણે સ્વહરતે સ્થાપિત કર્યા. તેઓ “મણિધારીજી નામથી પ્રસિદ્ધ થયા. નાની વયમાં જ તેઓ ભારે પ્રતિભાસંપન્ન આચાર્ય થયા. એમનો સ્વર્ગવાસ દિલ્હીમાં રાં. ૧રર૩ના ભાદ્રપદ (ગુશ્રા) વદ ૧૪ના રોજ થશે. શ્રી તીર્થ પાવાપુરીજીના શિલાલેખ અને કેટલીક પટ્ટાવલીઓથી પ્રતીત થાય છે કે એમણે જ મહતિયાણ જાતિની સ્થાપના કરી હતી. આ જાતિની બહું ઉન્નતિ થઈ પૂર્વદેશીય પાવાપુરીજી, રાજગૃહ આદિ તીર્થોના મંદિરે આ ભાગ્યશાળી મહતિયાણ સંઘ દ્વારા બન્યા તેમજ જીર્ણોદ્ધાર કરાવાયા છે. વ્યવસ્થાકુલક (ચતુર્વિધ સંઘ શિક્ષા ગાથા દ૯) નામક ગ્રન્થની અને પાર્શ્વ સ્તોત્રની રચના પણ એમણે કરી છે. એમનું પ્રભાવશાળી શુભ નામ ખરતરગચ્છમાં સદા અમર રાખવા માટે ચતુર્થ પાટ પર એજ નામ (આચાર્યોનું) રાખવાની પ્રથા પ્રચલિત કરવામાં આવી. એમના સ્વર્ગવાસ પછી શ્રીજયદેવાચાર્ય શ્રીજિનપતિસૂરિજીને પટ્ટધર આચાર્ય બનાવ્યા. વિદ્વત્તામાં એમની પ્રતિભા ખૂબ ખૂબ વૃદ્ધિ પામી હતી. છત્રીસ શાસ્ત્રાર્થોમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. વાદીઓને યુકિત તેમજ પ્રમાણે દ્વારા નિત્તર કરી દેવામાં તેઓ સાક્ષાત્ સરસ્વતી પુત્ર”જ હતા. એમનું જીવનચરિત્ર વિસ્તાર પૂર્વક + એમનું વિસ્તૃત જીવન ચરિત્ર “મણિધારી જિન ચંદ્રસૂરિના નામે હિંદીમાં નાણા બંધ તકથી અને એનોજ ગુજરાતી અનુવાદ મુંબઈ પાયધૂની મહાવીર સ્વામીના દેરાસર તરફથી પ્રકાશિત થઈ ચૂકેલ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy