________________
श्री प्रार्श्वनाथजीना चंद्रावळा.
प्रारंभ
દોહરો, પ્રથમ નમી જીનરાજને, સમરી સારદ માય; પભાણું પાર્શ્વ જીર્ણદનું, જન્મ ચરિત્ર ઉછાંય. ગુણી જનને કહું વિનંતી ગુણો ધરી સહુ મહેર; પાર્થ પ્રભુ ગુણ ગાવતા, ઉપજે દીન દીન લેહેર. ૨૨ દ્રષ્ટી દોષથી દોષજે, જડ બુદ્ધિ અનુસાર; માત્ર ભેદ નયને પડે, ક્ષમા કરી મનધાર. પીંગળ પાઠ પઢો નથી, ન લહુ ગરલધુ ભેદ
ચુ ગ્રંથ મતિ અ૫થી, રૂદય ન ધરશો ખેદ, ભણે ભણાવે પ્રેમશું, વાંચે પાર્શ્વ ચરિત્ર સુણે સુણાવે અવરને પામે શુધ સમકિત. પદ્માવતી પ્રસન્ન થઈ, સારે ચિંતવ્યું કાજ; ધરણીદર દુખ દુર કરે, ભજ પાર્શ્વ જનરાજ. પંચ પ્રકર્ણમાં વર્ણવ્યું, પાર્શ્વગંદ ચરિત્ર શાંતિ સુખ લીલા વધે, સુણતાં શ્રવણ પવીત્ર