SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ નિર્જરી જાય છે આત્માથી અલગ થાય છે અને તેમ થતાં આત્મા ઉજવળ થાય છે. શુદ્ધ આત્માની ઉપાસના કરે. શુદ્ધ નિર્મલ આત્માને મૂકીને મોક્ષને માટે જેઓ અન્ય અન્ય જડ સાધનો સેવે છે. રાગી દ્રષી દેવાની ઉપાસના કરે છે. મેહમાં ફસાયેલા ગુદિનું આલંબન લે છે તે મૂઢ–અજ્ઞાની મનુષ્ય ટાઢ દૂર કરવા માટે અગ્નિ એ ખરે ઉપાય છે તેને મૂકીને હિમની–બરફની ઉપાસના કરે તેના જેવું કરે છે. જેમ ટાઢ દૂર કરવાનો ઉપાય ગરમી-અનિ છે તેમ આત્માને નિર્મળ કરવાને ઉપાય શુદ્ધ આત્માની ઉપાસના-સેવા કરવી તે છે. આ સાચા ઉપાયને મૂકીને જેઓ ટાઢ દૂર કરવા જેમ હીમની ઉપાસના કરે છે કે જે લાભદાયક તે નથી પણ ઉલટી હાની કર્તા છે તેમ શુદ્ધ આત્માને મૂકીને પરમશાંતિ મેળવવા વિષયેની સેવા કરવી તે લાભને બદલે વિશેષ હાની કર્તા છે. મેથી છોડાવવાને બદલે ઉલટા વિશેષ પ્રકારે આત્માને બંધનમાં સપડાવે છે. આ જ પ્રમાણે રાગદ્વેષને ઉશ્કેરનારા કે પોષણ આપનારા દેવો અને શુદિ પણ બંધનમાંથી છોડાવતા નથી પણ વિશેષ બંધનમાં ફસાવે છે, માટે મોક્ષને અર્થ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે યોગ્ય સાધન છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy