SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ઐયાદિ ચાર ભાવનાને પ્રચાર કરો ( ૬૭૭) એને અને ધર્મકર્મોને કર્યા કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા–ઉન્નતિકર્તા કેઈ નથી. કંઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પિતાની તથા વિશ્વની ઉન્નતિને મૂળ મંત્ર છે. સર્વ મનુષ્યએ વદિસ્વાધિકાર ધમચારમા પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માચારને લેપ થતા સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિના મૂળ ઉખડી જવાના–એમા અંશમાત્ર સંશય જ નથી. ધર્મશાસ્ત્રોમાં જે જે સદાચાર–ધર્માચારે પ્રતિપાદ્યા છે તેને સર્વત અનુભવ કરીને ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માચારમાં દઢ રહેવાથી દેશનતિ સામાજિકેન્નતિ વગેરે સામુદાયિક ઉન્નતિનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યેની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પિાવય ધર્માચારોને નાશ ન કરવા જોઈએ. મોક્ષસધકમનુષ્યએ માગનુસારી ધર્મવોતક કર્તવ્યકર્મોને કરવાં જોઈએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારી ગુણે સેવ્ય હોય તે સેવવા જોઈએ. માર્ગાનુસારી ગુણોની પ્રાપ્તિથી નીતિધર્મમા સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગનુસારી ગુણે વિના ધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. માગનુસાર ગુણ વિના ધર્મક્રિયાઓ કરવા માત્રથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. લેકમાં મિથ્યાદિ ભાવેની વૃદ્ધિ માટે મનવાણુકાયાથી અને લક્ષમીથી ચોગ્ય જે કર્તવ્યકમ લાગે તે કરવું જોઈએ. મૈત્રીઆદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત મૈચાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હદયની શુદ્ધિ થાય છે અને તેથી લગ તથા રાગ વગેરે રોગોની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરુદ્ધધમ મનુષ્યો પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન ક્રિયામતથી ઘુકકાકવત્ વૈરની દષ્ટિ રાખનાર મનુષ્યો ગમે તે ધર્મના હાય હોય તેઓ મૈત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તો પશ્ચાત્ વિશવ ધર્મના અધિકારી તો ક્યાથી બની શકે વારૂ? પ્રમાદ ભાવનાની સિદ્ધિ વિના ધમીને વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમોદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતો નથી મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વ ધર્મોમાથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શકિત પ્રાપ્ત થતી નથી. માધ્યશ્ચગુણ વિના આત્મજ્ઞાનનો વિશેષ પ્રકાશ થતું નથી જ્ઞાનાવરણયાદિકર્મના આવરણે દર થવાથી માથથ્ય ગુણ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલેન કરી શકાય છે. મૈત્રી પ્રદ માણ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વિચારોને મનમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશક્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy