SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - શકા વિના શ્રદ્ધા સહિત પ્રવૃત્તિ કરવી. શકાય છે અને વર્તમાનમા નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમા પ્રત્યાખ્યાના દિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિર્જરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવર્તિમનુષ્યને શુભ ધર્મને લાભ સમાપી શકાય છે. જ્યા સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા સધર્મપ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સંબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી, માટે મનુષ્યએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થંકર પરમાત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવર્તિમનુષ્યને ઉદ્ધાર કરવા સધર્મકર્મને સેવે છે તે અન્ય મનુએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે અવશ્ય પ્રવર્તવુ જોઈએ. આત્મામા વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ સેવા ઉપાસના અને કર્મચાગને સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનેને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનેને ધ્યાઈ શકાય છે, પશ્ચાત્ સર્વ કર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્ય પરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘનપદભાવાર્થ અને ગદીપક પુસ્તકના વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માઓ ગૃહસ્થ ધર્મકર્મવડે અને સાધુઓ ઉચિત કર્મક્રિયાવડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્માને પ્રકટાવો શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિરૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુ વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સ૬ધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્મસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપ પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુના દુ ને તરી જાય છે. એવા અતરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સવ ને ઉદ્ધાર થાય છે. અવતરણ -આગમનિદિ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કમેને સેવવા જોઈએ, તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાળલે પ્રવૃત્તિ કરવી જોઈએ–તે જણાવવામાં આવે છે. आज्ञया ज्ञानिनां सेव्य-मगीतार्थजनैः शुभम् । सुभक्तिश्रद्धया कर्म संप्राप्तं क्रमपूर्वकम् ॥ १५१ ॥ आगमैर्यच्च निर्दिष्टं देशकालानुसारि यत् । ज्ञानिनामाज्ञया प्राप्तं कर्तव्यं धर्मकर्म तत् ।। १५२ ।। ও
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy