SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ - UF આમાન કયારે થાય ? (પ૯). ખીલવે છે તે તે સત્યશાસ્ત્રપ્રતિપાદિત કિયાને કરે છે એમ અવધવું. ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ, ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરોપકાર, દેવગુરુદર્શન આદિની પ્રાપ્તિ કરાવનારી સરિયાઓ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમા કંઇ કંઇ ફેરફાર જણાય તે પણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણી ભિન્નક્રિયાઓ ભેદે કદિ મુંઝાવું નહીં ગૃહસ્થોએ અગર સાધુઓએ સ્વાધિકારે પ્રગતિકર યિાઓને કરવી પરંતુ અવનતિકર ક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે Wિાલેદ અનાદિકાળ થી થયા કરે છે. કરોડ વર્ષના કેઈ મહાન ગ્રન્થ ગણાતા હોય પરંતુ વર્તમાન જમાનામાં તેઓ વડે પ્રતિપાદિત કિયાએથી સ્વને, સમાજને, સંઘને દેશને, ઉદય ન થતો હોય તે તેવી પ્રાચીન ક્રિયાઓને વહોરાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જઠ પત્થરની પેઠે પ્રગતિ પરિવર્તનથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરક્રિયાઓને જણાવી હોય અને તેની પ્રવૃત્તિથી સર્વ પ્રકારની શુભ શક્તિની પ્રાપ્તિ થતી હોય તે કરડે વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત યિાઓ કરતાં તે કરોડગણી ઉત્તમ છે. અમુક શાસમાં અમુક કિથા કચ્છી છે તે સત્ય છે અને અસક શાસ્ત્રમાં રાષ્ટ્રક ક્રિયા કચ્છી છે તેથી તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવું. હજારો વર્ષ પૂર્વે શટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિયંત્રથી ત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડો જોઈએ? આત્મામાં અનંત જ્ઞાનની શકિત છે તેથી તે પ્રગતિકર યિાને પરસે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓને નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભા થવાની શુદ્ધિ કરનાર અને દેશ. સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી ક્રિયાઓ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીર પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાઓને સાગર છે, તેના બિંદુઓ સમાન રિયાઓ ત્યા ત્યાં હોય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેઓને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાનશિયેથી ઉત્પત્તિ થઈ છે તેનું રૂડ ખરેખર આત્મજ્ઞાની અવધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપ મેહ પામ્યાવિના સમાન. તાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધદૈત, સ્વાદાદ માર્ગ, ક્ષણિકવાદ, સહનયવાદ, પરિણામવાદ, દદિસૃષ્ટિવાદ, સખ્યમત વગેરે મત નો સાપ પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કોઈ કિધાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય દેશકાલ દયભાવથી દર્દક ક્રિયા પ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? અને પુન તેને કેવી રીતે નિભાવ થથ છે ? તેને આત્મજ્ઞાની અવધી શકે છે તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિના કાને પણ પ્રકટા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy