SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન, ~-~~-~શુભ પ્રવૃત્તિના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના ન્નતિકારકપ્રવૃત્તિને નિશ્ચય થઈ શકતે નથી. નૈતિકારકપ્રવૃત્તિને નિર્ણય થયા પશ્ચાત અંધપરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનદષ્ટિમાં અને સાધ્યદષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપરંપરાએ પ્રવૃત્તિ કરે છે અને નૈતિપ્રવૃત્તિને વિચાર માત્ર કરતું નથી તે સમ્યુરિંછમ પન્ચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કંઈ પણ વિશેષ કરી શકતું નથી. દેશ રાજ્ય સમાજ સંઘાદિની ઉન્નતિકારક પ્રવૃત્તિની સાથે નૈતિકારક પ્રવૃત્તિની સાથે નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે કે સંબંધ છે ? અને તેમાં શું સત્ય રહસ્ય સમાયું છે? તે અવશ્ય અવબોધવું. પ્રવૃત્તિયોના તાબે આત્માએ રહેવું જોઈએ નહિ પરંતુ આત્માના તાબે અનાસક્તભાવે પ્રવૃત્તિ રહેવી જોઈએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિ છે, પરંતુ પ્રવૃત્તિમા આત્મતા નથી એવું અવધી અનાસક્તિથી માનસિક વાચિક કાયિક પ્રગતિકર પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રીતિથી પ્રવૃત્તિને ન્નતિ માટે સેવવી જોઈએ, પરંતુ પ્રવૃત્તિમાં રાગથી આસક્ત ન થવું જોઈએ. પ્રવૃત્તિમા અનાસક્તભાવે પ્રીતિ થવી જોઈએ. મધ્યમ ચેગીઓની પ્રથમ પ્રશસ્ત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે, પરંતુ શુદ્ધજ્ઞાની યોગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમજ્ઞાનીઓ રાગદ્વેષથી મુક્ત હોય છે. આરંભક કર્મચાગીએએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિ સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનીમનુષ્ય, પ્રવૃત્તિની ભિન્નતામાં અને તેના દેશકાલાનુસારે થતાં પરિવર્તનમાં મુંઝાયા વગર આત્મોન્નતિકારક પ્રવૃત્તિને સેવે છે. અવતરણ–ક્રિયાઓના, પ્રવૃત્તિના અનેક ભેદેમા જ્ઞાની મુંઝાતે નથી-તે ચિતકાર્ય પ્રવૃત્તિ કરે છે, તે દર્શાવે છે. श्लोका क्रियाविचित्रभेदेषु ज्ञानी किञ्चिन्न मुह्यति । समीभूयाधिकारणं करोति कर्मसूचितम् ॥ १४९ ॥ શબ્દાર્થ –ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેમાં આત્મજ્ઞાની મોહ પામતું નથી. સર્વ ક્રિયાઓમા સમીભૂત થઈને તે સ્વાધિકાર સુન્દુઉચિત કર્મને કરે છે. વિવેચન –મેક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દર્શનેમા સેંકડો ભેદ પડયા છે. જનદર્શનમાં શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપંથી આદિ અનેક ગ૭ મતભેદેથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરુદ્ધ એવા અનેક ભેદે અવલોકાય છે. હિન્દુઓમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy