SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ૩૦ ) શ્રી કોગ પ્રધ-વિવેચન. નાશ થાય છે અને સત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની માથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આવપને સાકાર કરવાથી રકુચિત અહંમમત્વ વૃત્તિના નારા સાથે સત્યલ્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનશાના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મલાવનાથી આત્મસ્વરૂપ ધારણાબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતને વિરોધ નથી ઉલટ તેથી જેનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કૈવલતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરેાધ આવતું નથી અને પ્રભુમયજીવનની ત્યાપતામાં વૃદ્ધિ કરી શકાય છે. શ્રદ્ધાદ્વૈતદૃષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલકથાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિછાતમા સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવલકવાથી રાગાદિ વૃત્તિચોની ક્ષીણતાની સાથે આમાની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાત આમા અને પરમાત્માના અનન્ત ગુણે એ બેના વિશિત્વ વિના અન્ય કેઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસભાન ધર્મની દૃષ્ટિએ સર્વત્ર ખુદાના નૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આત્મપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીઓમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી ને બદલે કૃષ્ણ -કઈ કૃષ્ણ લે એવા ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળા જેનાગમમાં ચોદ રજાકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તે સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખાડતી ધ્યાનભાવન લાવવી એમા તે કેણુ વિરેાધ લઈ શકે ? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ભેગીઓ બની શકે છે અને તેઓ જ સત્યકર્મ ગીઓ બનીને વિશ્વની ઉન્નતિમાં અને દુનિયાના મનુષ્યને સત્ય શાતિ આપવાના કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણની સાથે યોગ જોડાણ સંબંધ થાય છે તેને રોગ કહેવામા આવે છે. આત્મા પિતાના પરમાત્મવૃક્ષને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં ચોઃ રજૂ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને એગ કથવામા આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમા આમસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના જીવેને સત્યકર્મના માર્ગે દેરી શકાય છે અને તેઓને અલ્પહાનિએ અલ્પદોષે મહાલાભ સમાપી શકાય છે. ધ્યાનથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયે ક્ષય થાય છે. પટ–વસ્ત્રને વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તે તે જલદી સુકાઈ જાય છે તહત સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy