SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - ---- - - * - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - -- (પર૪). થી કાગ ઘસવિવેચન શકાય છે. શુષ્ક બ્રહાજ્ઞાની બનવા માત્રથી કઈ આત્માને તથા વિશ્વવર્તિ મનુષ્યને લાભ સમર્પી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત્ સર્વવ્યાપક પ્રભુમય જીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્ધાદિ દેને નાશ થાય અને સર્વના શ્રેયમાં આત્માર્પણ કરી શકાય. પ્રભુજીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. દુખવિનાશક કર્મપ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સવરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અષાની જીની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જે જે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતા રજોગુણની અને તમોગુણની વૃત્તિથી તે તે કમેં દુઃખેને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીઓ, તે તે કર્મો કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીવેનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુખવિનાશક કમેને કરવાને આત્મજ્ઞાની કર્મચાગીએ સમર્થ થાય છે. વિશ્વને ઉદ્ધાર કરવાને જ્યારે ત્યારે આત્મજ્ઞાનીએ સમર્થ થાય છે માટે જે જે અવસ્થાનાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુએ પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુત્તાન, વિશ્વજ્ઞાન, પ્રભુમયજીવનના જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણનું કારણ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઢ મૂર્ણોના પ્રભુ બનવા કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્તેલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તને સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને “આત્મજ્ઞાન અથર્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવા જોઈએ એ ઉપદેશ આપે હતો. શ્રીબુદ્ધ પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિશ્વવર્તિમનુષ્યને ઉપદેશ આપે હતે. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાનપૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વીતરાગતા-પરમાત્મતા પ્રાપ્ત થાય છે એ ઉપદેશ આપે હતો. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કેનાં રહસ્યોનું જ્ઞાન ન મળવાથી કર્મચાગની તથા જ્ઞાન રોગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં બાઝેલા પડાદર કરીને કર્મવેગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવાં જોઈએ. સર્વત્રવિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવેનું કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કર્મચાગ છે. અતએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણયોગી બની મનુષ્યોએ સ્વાધિકારે કર્મો કરવાં જોઈએ અને તેમા થતા અપ્રશસ્ત રાગાદિ દોષને હેર કરવા જોઈએ. * : - અવતરણુ–કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકતું નથી તે દર્શાવે છે. . . ' ,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy