SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ( ૪ ). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન વૃત્તિ-ભયવૃત્તિ-નામરૂપની વૃત્તિને હટાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગલ વધે છે. હાય! હાય ! હું મરી જઈશ, અરે મારું શું થશે, આવા ભીતિના શબ્દોને બોલનારા આ તે વરતુતઃ આર્યો નથી. તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નોકર બનીને પાપકર્મ કરવાને લલચાતું નથી. આત્માને નિત્ય માનનાર મનુષ્ય કર્તવ્યકાર્ય કરતાં પ્રાણાદિસમર્પણમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર-પ્રાણ છૂટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓને આત્મા સદા કાયમ રહેવાને છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાનું છે એવી શ્રદ્ધાથી વર્તનારા હોય છે. આર્ય ક્ષત્રિયે જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને વતાબે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શદ્ર મુનિઓ-- કષિ વગેરે પૂર્વે આત્માને નિત્ય માની રવાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ-ઉત્ક્રાંતિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને કે પટ-- લાલચ-તૃષ્ણ-ભચ-કુસં૫-વિશ્વાસઘાત-દ્રોહ અને ઈષ્ય વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદગુણવડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા, પરંતુ જ્યારે તેઓ આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને બ્રાન્તિમાં ફસાઈ મેહરાજાના તાબે થઈ દુર્ગણવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સની અવગતિ-પડતી થઈ. આ ઉપરથી અવધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતવૃત્તિ આદિ દાસીઓના તાબે મનુષ્યો થયા ત્યારથી તેઓ રવર્ત કરવામા પશ્ચાત્ રહેવા લાગ્યા. આત્માની નિયતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા ક્ષણિક પ્રસંગોમાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુક્ત થઈને નિર્ભયપણે આત્મવીર્યના જુસ્સાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્ય વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્ત આત્મરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈર્ષ્યા દોષથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકેન્નતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવસ્થા પશ્ચાત્ બાહ્ય કાર્યો કરતાં કર્તુત્વને સંમેહ થતું નથી. બાહ્ય કાર્યકર્તત્વને સંમોહ થવાથી આત્મા સ્વરૂપને વિસ્મરે છે અને સાસરિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્યકર્તુત્વ સમહ થવાની સાથે સ્વશીર્ષપર મેહ રાજાનું જોર થાય છે અને ભયાદિવૃત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અએવ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ, આધ્યાત્મિક કાર્યકર્તત સંમોહ-આદિ અનેક પ્રકારના સમેહને ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy