SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કર્મ ગ્રંથસવિવેચન. આનન્દઘને આ વિશ્વપર ઉપદેશ દઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્તગુણે ઉપકાર કરેલ છે. હિન્દુઓમાં સ્વામી દયાનન્દ વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકારે કર્યા છે. સર્વ વસ્તુઓ જગતને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દેવે સારા કૃત્ય કરવા અને સદા વિશ્વમાં સર્વ લેકો સુખી રહે એવા વિશ્વને સુવિચારો અને આચારા જણાવવા તે વિશ્વને ઉપર મહાન ઉપકાર જાણ. જગતને ઉદ્ધાર ત્યાગીઓ વડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિશ્વપર ગૃહસ્થાશ્રમીએથી ઉપકાર થઈ શક્તા નથી. ત્યાગીઓ ગૃહ પાસેથી અલ્પ ઉપગ્રહ ગ્રહી શકે છે જેને બદલો ભવિષ્યમાં અનન્તકાલપર્યન્ત કોટી ઉપાથી કરડે ઉપકારે કર્યા છતાં પણ પાછા ન વાળી શકાય એવા અનન્ત ગુણે ઉપકારોને ત્યાગીઓ કરી વિહાર કરે છે; તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અતએ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીઓના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક ર્તવ્યકર્મચાગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત–ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુનો વાસ છે. આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે. તેઓને જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાલમા ત્યાગીઓના હદયમાથી સત્ય પ્રકટ હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસને ત્યાગ કરી, ત્યાગી બની, તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતા વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કેઈ મહાત્મા જગતમાં પ્રકટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને, ત્યાગી તીર્થકર દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિશ્વ સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ આ વિશ્વપર અનેક ઉપકારે કરવાને શક્તિમાન થાય છે. જગમાં મહાન ઉપકારના કાર્યો કરતાં અલ્પદ થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતા હિંસાદિષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય સ્વપરને મહાન લાભ થાય અને અન્ય અને સામાન્ય હાનિ થાય, એવાં પરોપકાર કાર્યોને સાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવઘદશાએ પરોપકાર કાર્યો કરવો એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાપ્ય થઈ શકે છે. અલ્પદોષ અને મહાલાભ દૃષ્ટિએ વિશ્વમાં પરોપકારી કાર્યો કરવા જોઈએ શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેકણિપુરસ્પર પાકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિબંધ રહી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy