SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - (૩૨૦ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. સુખદુઃખકારક સોને ઉપયોગ રહેતા કેઈથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સરોગોની સાથે દુખપ્રદ સંગે રહેલા હોય છે. દિવસ ચશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુખ રહ્યું છે. જગતમાં જેમ બાહ્યાસુખના સાધુને ઘણા છે તેમ દુખના સાધને પણ ઘણા હોય છે. જે મનુષ્ય સુખસંગેનું ફક્ત ભાન ધરાવે છે અને દુખસગને વિમરી જાય છે તે દુખના સોના સામે ઉપાય લઈ શક્તો નથી અને તેથી તે હું ખરૂપ યમના પાસમાં સપડાઈ જાય છે. પિતાની આજુબાજુ દુખના સંગે કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયો ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુખના સોગની સામે થવા માટે મનુ પ્રતિદિન અપ્રમત્ત રહેવું જોઈએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતા શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેને ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહકારમાં રહીને જેઓ પરચક્રોની સામગ્રીની અવગણના કરે છે તેઓના ભાગ્યમાં પરાજય-પરત ત્રતા રહે છે. પૃથુરાજ ચહણ વગેરે આર્યદેશીય રાજાઓએ સ્વસુખપ્રદ સંયોગે કરતા દુ ખપ્રદ સંવેગો પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હતું તે તેઓ શાહબુદ્દીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યત પહોંચી શકે એવું સ્વસૈન્યબલ પ્રાપ્ત કરી શકત. કબુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઈ દુખસંગોને ભૂલી જઈ અસાવધાન બને છે તે જ સમયે બાજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે બિલાડીથી અસાવધાન રહે છે તે જ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વર્ષે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કેમ જ્યારે સુખપ્રદ સામે અને દુખપ્રદ સવેગે એ બેના ઉપયોગને ભૂલી આલસ્ય નિદ્રા નિંદા વિષય કષાયથી પ્રમત્ત બને છે તે વખતે દુખસગનો કોઈ પણ રીતે તેના પર હુમલો થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતવ પ્રત્યેક મનુષ્ય દુખપ્રદ શત્રુઓ વિશે ઉપાધિ વગેરે સંગેના સારા ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક વાચિક કાયિક લક્ષમી, સત્તા અને બીજી શક્તિ મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. જેનામા પ્રમાદને વાસ થયે તેને નાશ થાય છે. આલસ્ય નિન્દા નિદ્રા વિષયવાસના અને કષાથી વ્યાવહારિક વા ધાર્મિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ ખપ્રદ સગોને દરરોજ વિવેકથી દેખ્યા કરે છે તે દુખપ્રદ સાગોને કાર્યપ્રવૃત્તિમાં આવતાજ અનેક ઉપાયોથી દુર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને તે મનુષ્ય તું કાર્ય પ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિને આરંભ કર્યા પશ્ચાત્ કેટી વિઘો આવે તો પણ અત્યંત સાવધાન બની કાર્યપ્રવૃત્તિને છોડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એ સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy