SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૦૬). શ્રી કર્મળ ગ્રંથસવિવેચન. UF ખામી કહી શકાય. પૃથુરાજ ચૌહાણ, જયચંદ્ર અને ગુજરાધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરારોવડે ઐકય સાધી ભારતની, રક્ષાપ્રગતિ કરવા પ્રયતને કર્યા હોત અને પરસ્પરના વિધાઓ ચૂકવવા માટે એક હેગની કેન્ફરન્સ જેવી સમિતિ નીમી હેત તો તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકૌશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજ્યવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દિવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલ્લાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરનો નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરંભ્યાં હતા અને ગુર્જર દેશ વગેરે દેશેને તાબે કરવાની વ્યવસ્થાને સારી રીતે જીને તેઓએ ગુર્જ રાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાનૈપુણ્યને કલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈષ્ય, મોજશેખ,. પરસ્પર વિરોધ, ફાટપુટ વગેરે દુર્ગુણેના સડાથી સડી ગયા હતા અને તેમાં કેટલાક ઉત્તમ રાજપુત વીરે હતા પરનું દુર્ગણીને ભાગ મટે હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું–પરત તેઓએ હિન્દુસ્થાનના સર્વ લોકોના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપાયમા સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જના, ઉદયા ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હોત તે તેઓ આર્યાવર્તમ દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શક્ત, પરન્ત સગુણો વડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકરે દ્રવ્ય ક્ષેત્રકાલભાવ જાણુને અને અનેક રાજાઓનાં, રાજ્યની વ્યવસ્થાને અવબેધી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવી પ્રાપ્ત કરી છે અને તેણે અનુબેની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમોત્તમ પ્રબંધ રચે છે. સાધુએ સોનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કઈ સતાવે નહિ એવા દિવ્યક્ષેત્રકાલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતેને પોંચી વળવાની સુજના ઓપૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારા કર્યા છે તેથી તેના સમાન અન્ય કેઈ રાજ્ય હલ ગણાતું નથી. બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્ધોએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાકલના અકેડાની પેઠે સંબંધિત થઈને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy